Monday, May 19, 2025
Google search engine
HomeNewsGujaratવડોદરાના માર્ગો ગણપતિ બાપ્પા મોર્યા.. અગલે બરસ તુમ જલ્દી આ…ના નાદથી ગુંજી...

વડોદરાના માર્ગો ગણપતિ બાપ્પા મોર્યા.. અગલે બરસ તુમ જલ્દી આ…ના નાદથી ગુંજી ઉઠ્યા

વડોદાર: ગુજરાતમાં આજે સવારથી જ વિધ્નહર્તાના વિસર્જનની ધામધૂમ ચાલી રહી છે. ઠેર ઠેર મહાનગરોમાં કૃત્રિમ કુંડોમાં લોકો વાજતે ગાજતે બાપ્પાને વિદાય આપી રહ્યા છે. ત્યારે કેટલીક એક બાજું સુરત શહેરમાં સૈયદપુર વિસ્તારના ગણેશ પંડાલમાં થયેલ વિવાદ બાદ રાજ્ય ગણેશ વિસર્જન પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત મહાનગરોમાં આકાશી માર્ગે પણ લોકો પર નજર રાખવામાં આવી રહી છે.

વડોદરા શહેરમાં પણ શ્રીજી વળાવતી વેળાએ લોકોમાં આનંદ ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ડિજેના તાલે વાજતે ગાજતે ગણેશ મહોત્સવની પૂર્ણાવતી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે વડોદરામાં ગણેસ વિસર્જન માટે શહેરમાં અલગ-અલગ આઠ કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે. શહેરના તમામ વિસ્તાર સિહત કૃત્રિમ કુંડ પાસે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત સાથે લોકો આજે ગણેપતી ભગવાને આગલા વર્ષે જલ્દી આવવાની પ્રાર્થના સાથે વિસર્જન કર્યું હતું. આ પ્રસંગે શહેરના વડોદરા CP જણાવ્યું હતું કે “આજે તમામ વિસ્તારના ગણેશ પંડાલના આયોજક અમારી સાથે સંપર્કમાં છે. આ ઉપરાંત ગણેશ વિસર્જન સમયે ટ્રાફિક, ક્રાઉડ અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. આજે શહેરમાં 6500થી વધારે પોલીસ જવાનનો કાફલો ખડે પગે રાખવામાં આવ્યો છે.” આ ઉપરાંત વડોદરા શહેરના CPએ ગણેશ વિસર્જન શાંતિ પૂર્ણ માહોલમા પૂર્ણ કરવવાની વાત પણ કરી હતી. વડોદરાના લોકોની ખોટી અફવાથી દુર રહેવાના સૂચન પણ આપવામાં આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular