Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratઅદાણી વિદ્યામંદિરના તારલાઓ બોર્ડનાં પરિણામોમાં ઝળક્યા

અદાણી વિદ્યામંદિરના તારલાઓ બોર્ડનાં પરિણામોમાં ઝળક્યા

અમદાવાદઃ અમદાવાદસ્થિત અદાણી વિદ્યામંદિર (AVMA) અંગ્રેજી માધ્યમની CBSE સંલગ્ન શાળા છે. તે વિદ્યાર્થીઓમાં શારીરિક, માનસિક, સામાજિક અને સંસ્કારોનું સિંચન કરે છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રણાલીની પહેલ કરતાં 2008માં પ્રથમ અદાણી વિદ્યામંદિરની સ્થાપના કરવામાં હતી.

શૈક્ષણિક વર્ષ 2022-23ના ધોરણ 12 (CBSE)નાં પરિણામોમાં અદાણી વિદ્યામંદિરના સિતારાઓ ઝળક્યા છે. વાણિજ્ય પ્રવાહની વિદ્યાર્થિની રિદ્ધિ બાલમુકુંદે 97 ટકા જ્યારે અવધિ શાહે 96.2 ટકા મેળવી શહેરના ટોપ-10 તેજસ્વી વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું છે. તો વિજ્ઞાન પ્રવાહમાં ક્રિશ પટેલે 95.20 ટકા માર્કસ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અદાણી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ સફળતાનો ડંકો વગાડતાં શાળાના સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો રાજીના રેડ થઈ ગયા હતા.

અદાણી વિદ્યા મંદિર (AVM)ની શાળાઓ ગુજરાતના અમદાવાદ, ભદ્રેશ્વર, સુરગુજા (છત્તીસગઢ) અને કૃષ્ણપટનમ (આંધ્ર પ્રદેશ)માં કાર્યરત છે. સમાજના આર્થિક નબળા વર્ગોના 3000થી વધુ વિદ્યાર્થીઓને મફત ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરે છે. શાળામાં વિદ્યાર્થીઓને ગણવેશ, પુસ્તકો, સ્ટેશનરી અને વાહનવ્યવહારની સાથે શ્રેષ્ઠ-વર્ગંમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતમ સુવિધાઓ પ્રદાન કરે છે.

AVM વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષમતાઓ અને રચનાત્મકતાને પ્રાધાન્ય આપે છે. AVMAના પૂર્વ વિદ્યાર્થીઓએ લાંબા ગાળાના વિઝનને સાકાર કરવા કરેલા પ્રયત્નો તેનો પુરાવો છે. રિપોર્ટિંગ FYમાં 954 વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે. માર્ચ 2019માં શાળાને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા હેઠળ NABET દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ હતી. આ સિદ્ધિ હાંસલ કરનાર તે અમદાવાદની પ્રથમ ખાનગી શાળા બની.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular