Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsGujaratઆકાશે વરસાવ્યા અગનગોળા, સુરતમાં 10ના જીવ થયા ટાઢા

આકાશે વરસાવ્યા અગનગોળા, સુરતમાં 10ના જીવ થયા ટાઢા

રાજ્યમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. ગુજરાતમાં મહત્મ તાપમાન 45 ડિગ્રીને ઉપર નોંધાયું હતું. ત્યારે હવામાન વિભાગ દ્વારા આ તાપમાન આગળ પાંચ દિવસ સુધી યથાવત્ રહેવાની આગાહી પણ કરી છે. જ્યારે આ તાપમાનને લઈ રાજ્યમાં રોગચાળો પણ વકરી રહ્યો છે.

રાજ્યનાં કાળઝાળ ગરમી હવે જીવલેણ બની રહી છે. હીટવેવના કારણે સુરતમાં એક જ દિવસમાં 10 વ્યક્તિના મોત થયા છે, જ્યારે ખેંચ અને હીટસ્ટ્રોકથી વિવિધ શહેરોમાં 15ના મોત થયા છે. ગરમીનો પારો આજે પણ રેકોર્ડ તોડી શકે છે. ત્યારે બીજી બાજુ વડોદરામાં વધુ 4 લોકોના મોત થયા છે અને પીલુચામાં 4 વર્ષના બાળકનું મોત થયું છે. આકરી ગરમી એવી પડી રહી છે કે અમદાવાદમાં તો 7 વર્ષનો રેકોર્ડ તૂડ્યો છે. અમદાવાદમાં બુધવારે 46 ડિગ્રી તાપમાન નોધાયું હતું. હજું પણ 5 દિવસ આકરી ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારાકરવામાં આવી છે. સતત 8 દિવસથી જાણે કે અગનગોળા વરસી રહ્યા હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યના 12 શહેરોમાં હીટવેવનો અનુભવ થઇ રહ્યો છે.

રાજ્યમાં વધ્યો રોગચાળો

રાજ્યમાં સવારના ભાગથી જ અસહ્ય ગરમીનો અનુભવ થઇ રહ્યો છે અને રાત્રે પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહે છે. ફૂંકાઇ રહેલા ગરમ પવનના કારણે લોકોની સ્થિતિકફોડી બની રહી છે. ચામડી દઝાય તેવો આકરો તડકો પડી રહ્યો છે અને તેની સીધી અસર માણસના આરોગ્ય પર પણ પડી રહી છે. કાળઝાળ ગરમીના કારણે લૂ લાગવી, હિટ સ્ટ્રોક અને ખેંચ આવવી જેવા બનાવો વધી રહ્યા છે. હોસ્પિટલોમાં આ પ્રકારના દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે કેટલાક નિષ્ણાતો દ્વારા ગરમીને લઈ કેટલીક એડવાઝરી પણ આપવામાં આવી છે. જેમાં કામ વગર ઘરની બહાર ન નિકળવું, પાણી તથા લીબું સરબર સતત સેવન કરવા જેવી તકેદારી પણ રાખવાનું કહેવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular