Sunday, June 8, 2025
Google search engine
HomeNewsGujaratકાળઝાળ ગરમીએ વધુ બેના લીધા જીવ

કાળઝાળ ગરમીએ વધુ બેના લીધા જીવ

રાજ્યમાં ગરમીએ 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગુજરાતમાં મહત્મ પારો 46 ડિગ્રીને પાર નોંધાયો હતો. ત્યારે હાલ રાજ્યમાં એકથી બે દિવસ હીટ વેવ યથાવત્ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હાલ સુધીમાં રાજ્યમાં 20 જેટલા લોકો હીટવેવના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.

આજે રાજકોટમાં બે વ્યકિતના ગરમીના કારણે મોત નિપજયા છે.રાજકોટા રામવન વિસ્તારના પાછળના ભાગેથી એક અજાણ્યા વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો છે,તો ઢાળીયા પાસેથી પણ એક વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો છે.જ્યારે આ ગઈકાલે સુરતમાં 9 તો વડોદરામાં 5 મોત થયા હતા.

વડોદરામાં રેકોર્ડબ્રેક 45 ડિગ્રી ગરમીમાં શહેર અગનભઠ્ઠીમાં શેકાયું છે. વડોદરામાં હીટવેવના કારણે વધુ 9ના મોત થયા છે. આ સાથે જ મોતનો આંકડો 30 પર પહોંચ્યો છે. ગભરામણ અને હાર્ટ એટેકના કારણે વધુ 9ના મોત થયા છે. વડોદરામાં વર્ષ 2016 માં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તો ગતરોજ તાપમાનનો પારો 45 ડિગ્રી ઉપર પહોંચી જતા નગરજનોની હાલત કફોડી બની હતી.

હાલ પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.હીટવેવના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. વૃદ્ધોને સીધી અસર થવાના કારણે હીટવેવથી મૃત્યુઆંક 30 ટકાનો વધારો થયો છે. જી હા, ગરમીની સૌથી વધુ અસર વૃદ્ધોને થઈ રહી છે. વડીલોની નબળી રોગ પ્રતિકારક શક્તિના કારણે ગરમીની અસર જલદી થાય છે. 40 ડિગ્રીથી વધુ તાપમાન જતાં જ હીટવેવની શક્યતાઓ વધી જાય છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular