Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsGujaratચોમાસુ સત્રની શરૂઆતમાં વિરોધ પક્ષે કર્યો સૂત્રોચાર

ચોમાસુ સત્રની શરૂઆતમાં વિરોધ પક્ષે કર્યો સૂત્રોચાર

આજથી રાજ્યનું વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર શરૂ થયું છે. આજે ગૃહમાં શિક્ષકોને ગેરહાજરી અને વિદેશ પ્રવાસ મુદ્દે ટૂંકી રજૂઆત કરવામાં આવી હતી. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા વિધાનસભામાં રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યના શિક્ષકોની ઘટ હોવા છતાં શિક્ષણ વિભાગ જાગતું નથી અને મીડિયામાં મુદ્દો ઊભો થયા બાદ શિક્ષણ વિભાગ જાગ્યું છે. આ ઉપરાંત શિક્ષકોની ગેરહાજરીને મુદ્દે કહ્યું હતું કે જવાબદાર શિક્ષણ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે.

વિધાનસભાના પગથિયા પાસે કોંગ્રેસના દેખાવો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ એપ્રોન પહેરી સૂત્રોચાર કર્યા હતા. આ ઉપરાંત ટૂંકી મુદ્દતના પ્રશ્નોને લઇ વિરોધ નોંધાવ્યો હતો. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાનું નિવેદન આપતા કહ્યું કે ભ્રષ્ટાચાર ભાજપ સરકારમાં શિષ્ટાચાર બન્યો હોય એવુ લાગી રહ્યું છે. ગુજરાત વિધાનસભાના પગથિયા પાસે કોંગ્રેસે આજે દેખાવો કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ એપ્રોન પહેરી સૂત્રોચાર કર્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે સરકારના ભ્રષ્ટાચારનો ભોગ બનેલ લોકો અંગે વિધાનસભામાં ચર્ચા થવી જોઈએ . ગુજરાતમાં બનતી ઘટનાની ચર્ચા વિધાનસભામાં થવી જરૂરી છે. આ ઉપરાંત તેમણે આરોપ લગાવતા કહ્યુ કે વધારે ચર્ચા ના થાય એ માટે ટૂંકી મુદ્તના પ્રશ્નો લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મંત્રીઓ કોંગ્રેસના પ્રશ્નોની ચર્ચા ના થાય એવું ઈચ્છતા હતા એટલે અમારા પ્રશ્નો કાઢી નખાયા છે. કોંગ્રેસના સભ્યોએ પ્રજાના પ્રશ્નોને ચર્ચા અંગે માંગ કરી હતી તેમ તેમણે જણાવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular