Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsGujaratદેશમાં કોરોનાના JN.1 વેરિયન્ટના સૌથી વધુ કેસ ગુજરાતમાં

દેશમાં કોરોનાના JN.1 વેરિયન્ટના સૌથી વધુ કેસ ગુજરાતમાં

અમદાવાદઃ કોરોના રોગચાળાએ ફરી એક વાર રાજ્યમાં ચિંતા વધારી છે. દેશમાં JN.1ના સૌથી વધુ કેસ જોવા રાજ્યમાં જોવા મળ્યા છે. કોરોનાના નવા વેરિયન્ટ રાજ્યમાં ઝડપથી પ્રસરી રહ્યો છે. રાજ્યમાં હાલ JN.1 વેરિયન્ટના 36 કેસ સક્રિય છે. કેરળ-રાજસ્થાન સહિત આઠ રાજ્યોમાં કુલ 109 કેસ છે, જેમાં ગુજરાત સૌથી ટોચ પર છે. જોકે કોરોનાના નવા વેરિયન્ટના એક પણ કેસ હોવાનો કોઈ જ સત્તાવાર રિપોર્ટ અમારી પાસે નથી, તેવું કોર્પોરેશનના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો ભાવિન સોલંકીએ જણાવ્યું હતું.

દેશમાં કોરોનાનો નવા JN.1. વેરિયન્ટના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 109 પર પહોંચી ગઈ છે, જ્યારે આંકડા અનુસાર રાજ્યમાં JN.1 વેરિયન્ટના સૌથી વધુ 36 કેસ ગુજરાતમાં છે. આ ઉપરાંત ગોવામાં 18 કેસ, કર્ણાટકમાં 8 કેસ, મહારાષ્ટ્રમાં 7, કેરળ અને રાજસ્થાનમાં 5-5, તામિલનાડુમાં 4 અને તેલંગાનામાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે.દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 529 કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 4093 પાર થઈ ગઈ છે. તો ત્રણ સંક્રમિત દર્દીઓના મોત થયા છે. જેમાં બે કર્ણાટકના દર્દી અને એક દર્દી ગુજરાતનો છે.

અમદાવાદમાં ૩૫ કુલ કોરોના એક્ટિવ કેસ નવા ઉમેરાયા હતા. આ સાથે જ શહેરમાં હાલ કોવિડના 42 એક્ટિવ કેસ થયા છે. નવા કેસ નવરંગપુરા, નારણપુરા , જોધપુર, થલતેજ, સરખેજ અને ગોતામાં નોંધાયા છે. જેમાં એક દર્દી હોસ્પિટલમાં જયારે 41 દર્દી હોમ આસોલેશનમાં સારવાર હેઠળ છે. સંક્રમિત થયેલા બે દર્દી USથી દુબઈથી આવ્યા હતા.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular