Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratખેડૂતે કારને સમાધિ આપીને સ્મારક બનાવીને કર્યો જમણવાર

ખેડૂતે કારને સમાધિ આપીને સ્મારક બનાવીને કર્યો જમણવાર

અમરેલીઃ જિલ્લામાં એક ખેડૂતે પોતાની જૂની કારને સમાધિ આપીને સ્મારક બનાવડાવ્યું  અને જમણવાર પણ કર્યો હતો. ખેડૂતે સંપૂર્ણ વિધિ-વિધાનથી કાર માટે પૂજા-પાઠ કરી હતીઆખા ગામમાં ધામધૂમથી કાર્યક્રમનું આયોજન કર્યું અને આશરે 1500 લોકો માટે જમણવાર પણ કર્યો હતો.

અમરેલીના લાઠી તાલુકાના પાડરસિંગા ગામમાં ખેડૂત સંજય પોલરાએ પોતાની જૂની કારને સમાધિ આપીને એક સ્મારક બનાવડાવ્યું છે. ગામના લોકો ઢોલ-નગારાં અને ડીજે પર ઝૂમ્યા પણ હતા. ખેડૂતે જૂની કારને ફૂલોથી સજાવવામાં આવી હતી. સંતો અને મહંતોની ખાસ હાજરીમાં આખુ ગામ કારને સમાધિ આપવા માટે પહોંચ્યું હતું. સંજય પોલરાએ વર્ષ 2013-14માં કાર ખરીદી હતી. ખેડૂતનું માનવું છે કે આ કારને કારણે તેના જીવનમાં પ્રગતિ થઈ છે માટે તેથી તેણે કાર વેચવાની જગ્યાએ તેને સમાધિ આપી હતી.

કારને લકી માનનારો ખેડૂત સુરતમાં કંસ્ટ્રક્શનના બિઝનેસમાં જોડાયેલો છે. કાર આવ્યા બાદ તેનો મોભો વધ્યો હતો. સમાજમાં સારું નામ થયું હતું. ફૂલમાળાથી સજાવેલી કારને સમાધિ આપ્યા પહેલાં તેના દ્વારા અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. તે બાદ કારને સમાધિ આપનારા ખાડામાં ઉતારવામાં આવી હતી અને પછી બુલડોઝરથી કારની ઉપર માટી નાખવામાં આવી હતી.

આ અનોખા આયોજનમાં વિશેષ પૂજા માટે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને અંતિમ સંસ્કારની જેમ વિધિથી કારને જમીનમાં સમાધિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ખેડૂતના સંબંધી અને અન્ય લોકો અમદાવાદ,સુરત અને આસપાસના વિસ્તારમાંથી સામેલ થવા માટે પહોંચ્યા હતા. અમરેલીના પાડરસિંગા ગામની ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચર્ચા થઇ રહી છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular