Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsGujaratમુખ્યમંત્રીએ અમરેલીમાં 122 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યુ

મુખ્યમંત્રીએ અમરેલીમાં 122 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યુ

અમરેલી: આજે રાજ્યના મુખ્યમંત્રી અમરેલી જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. અહીં તેમને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કુલ 122 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત સંપન્ન કર્યુ હતુ. આ ઉપરાંત સીએમે સાવરકુંડલામાં આરામ ભવન, સી.સી.રોડ સહિતના વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કર્યુ હતુ.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન સાવરકુંડલા ખાતે રૂપિયા 122 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યા હતા. સાવરકુંડલા શહેરમાંથી પસાર થતી નાવલી નદીના રિવરફ્રન્ટ તેમજ ગટર યોજના-2 નુ ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે જ સાવરકુંડલા APMCના પટાગણમાં ખેડૂત આગેવાન ‘ભગવાન બાપા’ ની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ એક જાહેરસભાને પણ સંબોધી હતી.

જાહેરસભાને સંબોધતી વખતે ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેતૃત્વ હેઠળ થયેલી વિકાસની યશગાથાને વાગોળી હતી. આ સાથે જ તેઓ સાવરકુંડલા નજીક આવેલા ‘માનવ મંદિર આશ્રમ’ તેમજ કાના તળાવ ગામે આવેલા શિવ દરબાર આશ્રમની મુલાકાત પણ લીધી હતી. સાવરકુંડલાથી પછી તેઓ અમરેલી તાલુકાના ચાડીયા ગામે પહોચ્યા હતા, જ્યા માતૃભૂમિ વંદના મહોત્સવમાં ભાગ લીધો હતો. અહીં તેમને બાબુભાઈ પેથાણી સરોવરનુ ભુમીપૂજન કર્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular