Friday, June 13, 2025
Google search engine
HomeNewsGujaratAOIT પ્લેટફોર્મથી મેન્યુફેકચરીંગ ઉદ્યોગમાં આવશે ક્રાંતિ

AOIT પ્લેટફોર્મથી મેન્યુફેકચરીંગ ઉદ્યોગમાં આવશે ક્રાંતિ

ડો.આશિષ જાની તથા નવરચના યુનિવર્સિટીના કોમ્પયુટર સાયન્સ એન્જીન્યરીંગના  બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પ્રણવ વૈદ્ય અને નિલય સોનીએ મેન્યુફેકચરિંગ ઉદ્યોગ  માટે ઈનોવેટિવ AOIT (આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ ઓફ થીંગ્સ) પ્લેટફોર્મ વિકસાવવામાં  ખૂબજ પાયાની ભૂમિકા બજાવી છે. અગ્રણી મેન્યુફેકચરીંગ કંપની ઈનોટેક ઓટોમેશનના  સહયોગથી સીઈઓ ચિરાયુ જસાણી અને મેનેજર દિપક પરમાર સાથે મળીને આ પ્રોજેકટ હાથ ધર્યો હતો.

આ સિધ્ધિ અંગે ગૌરવ વ્યક્ત કરતાં ડો.આશિષ જાની કહે છે કે “ આ નવતર પ્રકારનુ AOIT પ્લેટફોર્મ તૈયાર કરવામાં ઈનોટેક ઓટોમેશન સાથેનો સહયોગ અમારા માટે ગૌરવની બાબત છે.  પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પ્રણવ વૈદ્ય અને નિલય સોનીએ દર્શાવે  સમર્પણ  ભાવના તથા  કૌશલ્ય પ્રોજેકટની સફળતામાં ખૂબ જ મહત્વની બની રહી છે. અમે માનીએ છીએ કે  આ પ્લેટફોર્મથી મેન્યુફેકચરીંગ ઉદ્યોગમાં ક્રાંતિ આવશે અને તે બહેતર કાર્યક્ષમતા અને સ્પર્ધાત્મકતા તરફ આગળ ધપશે.“

ઈનોટેક ઓટોમેશનના સીઈઓ ચિરાયુ જસાણીએ આ સહયોગની પ્રશંસા કરતાં કહ્યું કે “ નવરચના યુનિવર્સિટીના ડો.આશિષ જાની, પ્રણવ વૈદ્ય અને નિલય સોની સહિતની બનેલી   પ્રતિભાશાળી ટીમ સાથે ઘનિષ્ઠતાથી કામ કરતાં અમને ખૂબ જ સારો અનુભવ થયો છે. તેમની ટેકનિકલ નિપુણતા અને જ્ઞાનના કારણે આ અદ્યતન AOIT પ્લેટફોર્મ વિકસાવવામાં મોટુ યોગદાન થઈ શકયુ છે. “તેનાથી નવી સંભાવનાઓ શકય બની છે તેને કારણે અમારા ગ્રાહકોની મેન્યુફેકચરિંગની કામગીરીમાં રોમાંચક સંભાવનાઓ ઉભી થઈ છે.

આ સહયોગ વડે વિકસાવવામાં આવેલા  AOIT પ્લેટફોર્મથી મેન્યુફેકચરીંગ ઉદ્ઓગમાં પરિવર્તનલક્ષી ફેરફારો થશે, સંચાલનની કામગીરી સુધરશે અને મેન્યુફેકચરીંગ બિઝનેસમાં નવી સંભાવનાઓ ઉભી થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular