Monday, June 30, 2025
Google search engine
HomeNewsGujaratલીલી પરિક્રમાને લઈ તંત્ર એલર્ટ, 20થી વધુ પાંજરા અને રેસ્ક્યુ ટીમ તૈનાત

લીલી પરિક્રમાને લઈ તંત્ર એલર્ટ, 20થી વધુ પાંજરા અને રેસ્ક્યુ ટીમ તૈનાત

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે, ત્યારે આગામી 15 નવેમ્બર સુધી પિરક્રમા ચાલશે. પરિક્રમામાં લાખોની ભીડ ઉમટતી હોવાથી યાત્રામાં અન્નક્ષેત્રો, હંગામી દવાખાના સહિતની વ્યવસ્થા પરિક્રમાનાના રસ્તામાં ઊભી કરવામાં આવી છે. તેવામાં તંત્ર દ્વારા સૌપ્રથમ વખત સિંહ, દીપડાને પકડવા માટે પરિક્રમાના રૂટ પર 20થી વધુ પાંજરા ગોઠવી દેવાયા છે.

ગત વર્ષે ગિરનાર લીલી પરિક્રમામાં એક બાળકી દિપડાનો ભોગ બની હતી. ત્યારે આ વખતે તંત્ર દ્વારા ખાસ આયોજન કરીને પરિક્રમાના રૂટમાં પાંજરા ગોઠવી દેવામાં આવ્યાં છે. આ સાથે ત્યાં રેસ્ક્યુ ટીમ પણ તૈનાત કરાઈ છે. જ્યારે રેસ્ક્યુ માટે સાસણથી સ્પેશિયલ ટીમ બોલાવામાં આવી છે. પરિક્રમાના રૂટ પર 300થી વધુ ફોરેસ્ટનો સ્ટાફ અને વોકીટોકી સાથે તૈનાત રાખવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર લીલી પરિક્રમા દરમિયાન છ રેસ્ક્યુ ટીમ અને ટ્રેકર ટીમ ચોવિસ કલાક કાર્યરત રહે છે. આ ઉપરાંત આ પરિક્રમામાં પ્રાણી અને માણસ એક બીજાને પરસ્પર નડતર રૂપના બને તે માટે ફોરેસ્ટ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, ગીરનારની લીલી પરિક્રમા દરમિયાને બે દિવસમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં મોટા ભાગના લોકો પુરુષ હતા. જ્યારે સરાકરી માહિતી પ્રમાણે આ તમામે પોતાના જીવ હાર્ટ એટેક આવવાથી ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તમામ મૃતકોને તંત્ર દ્વારા જુનાગઢ સિવિલ સુધી પહોંચાડી આપવામાં આવ્યા છે. જ્યારે બે દિવસમાં 6 બાળકો સહિત 43 લોકો ગુમ થયાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular