Saturday, June 28, 2025
Google search engine
HomeNewsGujaratસુરત પોલીસ કમિશનર દ્વારા 12 પીઆઇની બદલીના ઓર્ડર જાહેર

સુરત પોલીસ કમિશનર દ્વારા 12 પીઆઇની બદલીના ઓર્ડર જાહેર

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આખરે એક્શન મોડમાં આવી ગયા છે. અપેક્ષા મુજબ તેમણે એક સાથે 12 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના ઓર્ડર જાહેર કર્યો છે. સુરત શહેરના 12 મહત્વના પોલીસ સ્ટેશનો અને વિભાગમાં રહેલા પીઆઇઓની બદલી કરાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના કમિશનરે એક સાથે  12 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે. એમ તો પોલીસ કમિશનર તરીકે અનુપમ સિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો, ત્યાર બાદ તમામ પોલીસ સ્ટેશનમાં બદલીનો દોર યથાવત્ છે.  વરાછા પોલીસ સ્ટેશનના પીઆઇ અલ્પેશ ગાબાણીને એ એચ.ટી.યુમાં મુકાયા છે. જ્યારે ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઇ જે જી પટેલને સ્પેશિયલ બ્રાન્ચમાં અને અઠવા પોસ્ટેના જી એ હડિયાને ઇકો સેલમાં મુકાયા છે. ઇકો સેલના એચ કે સોલંકીને અઠવા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. ટ્રાફિક શાખાના ડી.ડી ચૌહાણને અલથાણ પોલીસ સ્ટેશન મુકાયા છે. AHTUના પી.જે સોલંકીને અડાજણ પોલીસ સ્ટેશન મુકાયા છે. અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઇ આર બી ગોજીયાને વરાછા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. લાલગેટ પોલીસ સ્ટેશનના સેકન્ડ પી.આઈ કે.વી પટેલને ઉમરામાં મુકાયા છે, જ્યારે સચિન gidc ના જે આર ચૌધરી ને સ્પેશિયલ બ્રાન્ચમાં મુકાયા છે. સાઇબર ક્રાઇમના બંસરી પંચાલને ટ્રાફિક શાખામાં મુકાયા જ્યારે  ટ્રાફિક શાખાના કુલદીપ સિંહ ચાવડાને લસકાણા પોલીસ સ્ટેશન કાર્યરત થયેલ હવાલો સંભાળવાનો રહેશે. છેલ્લા કેટલાય સમયથી શહેર પીઆઇઓની આંતરિક બદલીને ચર્ચાઓ ચાલતી હતી આખરે આજે બપોરે પોલીસ કમિશનરે ઓર્ડર ફાટ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular