Monday, June 30, 2025
Google search engine
HomeNewsGujaratઆત્મહત્યા નિવારણ અને વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

આત્મહત્યા નિવારણ અને વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

મોટી દઉઃ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે મહાત્મા ગાંધી આત્મહત્યા નિવારણ કેન્દ્રના પ્રમુખ ડો. ગુલાબચંદ પટેલ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન પ્રણેતા તેમ જ આત્મહત્યા નિવારણ કાર્યક્રમ ૨ ઓગસ્ટે સવારે ૧૧ વાગ્યે યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ડો. પટેલે વ્યસન મુક્તિ અંગે બાળકોને વ્યસનથી થતા નુકસાનની માહિતી આપી હતી અને જીવનમાં નાસીપાસ થઈ ક્યારેય આત્મહત્યા ન કરવી -એ બંને બાબતોને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ડો. ગુલાબચંદ પટેલ અધ્યક્ષ સાથે મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર, ટ્રસ્ટીઓ- મહેન્દ્રભાઈ ચૌહાણ,  કાંતિભાઈ પટેલ એડવોકેટ અને રાધેશ્યામ યાદવ ઇન્ડિયન લાયન્સ ગાંધીનગરના ભૂતપૂર્વ પ્રમુખ જોડાયા હતા. આ કાર્યક્રમમાં અતિથિઓનું બુકે અને રૂમાલ દ્વારા અનુપમ શાળા મોટી દઉનાં આચાર્ય પ્રિયંકા પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મેળવી વ્યસનથી દૂર રહેવાની શીખ આપવામાં આવી હતી.  આ કાર્યક્રમનું સુંદર આયોજન કરનાર શિક્ષિકા વૈશાલી પંચાલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે શાળાનાં આચાર્યા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular