Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratભાજપનાં મહિલા મોરચાના પ્રમુખની આત્મહત્યા કે હત્યા?

ભાજપનાં મહિલા મોરચાના પ્રમુખની આત્મહત્યા કે હત્યા?

સુરતઃ રાજ્યમાં ભાજપના એક મહિલા નેતાએ આત્મહત્યા કરતાં ખળભળાટ મચી ગયો છે. શહેરના અલથાણમાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખે પોતાના જ ઘરમાં ગળોફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 34 વર્ષની દીપિકા પટેલે આપઘાત કરી લેતા પરિવાર સહિત ભાજપમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસ તેમના મોબાઇલની કોલ ડિટેલ ચકાસી રહી છે.

ભાજપનાં મહિલા નેતાના આપઘાતની માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ મોકલી આગળની તપાસ હાથ ધરી છે. જોકે મૃતકના પરિવારજનો આ આપઘાતની વાતને નકારી રહ્યા છે. પરિવાર આ ઘટનાને આત્મહત્યા નહીં, પરંતુ હત્યા જણાવી રહ્યો છે.

મૃતકના સંબંધી મિનેષ પટેલે જણાવ્યું કે તેઓ ઘણા સમયથી ભાજપના કાર્યકર્તા હતાં અને સમાજસેવિકા પણ હતાં. અમને આશંકા છે કે આ આત્મહત્યા નહીં, પરંતુ હત્યા છે. કારણ કે જ્યાં દીપિકાએ ફાંસો ખાધો હતો ત્યાં કોઈ દોરડું કે દુપટ્ટો નહોતો. પરિવારજનોમાંથી તેમના બાળકો ઘરે હતાં અને પતિ ખેતરે ગયાં હતાં. એ રૂમમાં ફક્ત સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય એક શખસ આકાશ હાજર હતો. જો કોઈએ ફાંસો ખાધો હોય તો તે પહેલાં પોલીસને જાણ કરે, પરંતુ ચિરાગે પોલીસને બોલાવવાની બદલે દીપીકાને નીચે ઉતારી. અમને આશંકા છે કે દિપીકાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે, તેથી આ કેસની તપાસ કરવામાં આવે અને અમને ન્યાય મળે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular