Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsGujaratMS યુનિવર્સિટીમાં મેસ ફીનો વિદ્યાર્થીઓએ ઉઘરાણું કરી કર્યો વિરોધ

MS યુનિવર્સિટીમાં મેસ ફીનો વિદ્યાર્થીઓએ ઉઘરાણું કરી કર્યો વિરોધ

વડોદરાઃ રાજ્યની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું વહીવટી તંત્રની વિરુદ્ધ રૂ. એક-એક ભેગા કરવાનું કેમ્પેન અસરદાર સાબિત થયું છે. વિદ્યાર્થી યુનિયને રૂપિયા લેવાનું ત્યારે શરૂ કર્યું, જ્યારે ત્રીજી જુલાઈએ યુનિવર્સિટી વહીવટી તંત્રની સતર્કતા અને સુરક્ષા અધિકારીએ 200 અજાણ્યા વિદ્યાર્થીઓની વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો, કુલપતિ દ્વારા કરવામાં આવેલી FIRમાં વિદ્યાર્થીઓ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓએ કુલપતિ નિવાસસ્થાનના દરવાજા સહિત કુલ રૂ. 2000નું નુકસાન કર્યું છે.

વિદ્યાર્થી યુનિયનના અધ્યક્ષ જયેશ પ્રજાપતિએ કહ્યું હતું કે વહીવટી તંત્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે વર્ષના પ્રારંભથી જ બધા વિદ્યાર્થીઓ રૂ. 24,000ની ચુકવણી કરવામાં આવશે. આ ચુકવણીનો નિયમ એવો છે કે તમે મેસમાં જમો કે ના જમો, પણ તમારે ફી પ્રારંભમાં દેવી ફરજિયાત છે. આ પહેલાં પણ યુનિવર્સિટીના વહીવટી તંત્રએ આ પ્રકારનો આદેશ જારી કર્યો હતો.

જયેશે કહ્યું હતું કે આ આંદોલન વિશે જણાવ્યું હતું કે યુનિવર્સિટી વહીવટી તંત્રએ વિદ્યાર્થીઓને સાંભળવાની તક જ ના આપી. એટલે વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું અને કુલપતિના નિવાસસ્થાને ઘેરાવ કર્યો હતો. કુલપતિએ જે વિદ્યાર્થીઓ પર FIR નોંધી છે, એ બધા અપરાધી નથી.

વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી FIRમાં કહેવામાં આવ્યું છે કે કુલપતિનિવાસસ્થાનની બહાર બધા વિદ્યાર્થીઓ ગેરકાયદે ઇરાદાથી ગેરકાનૂની મીટિંગ કરતા હતા અને એ દરમ્યાન ત્યાં હાજર વિદ્યાર્થીઓએ રૂ. 2000નું નુકસાન કર્યું હતું, જેથી અમે ઉઘરાણું કર્યું હતું, એમ તેણે જણાવ્યું હતું.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular