Thursday, May 15, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્ય પુરવઠા મંત્રીની તબિયત લથડી..

રાજ્ય પુરવઠા મંત્રીની તબિયત લથડી..

રાજ્ય કક્ષાના પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી છે. સૂત્રો પાસેથી મળતા સમાચાર મુજબ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સવારે ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે એકાએક બ્લડ પ્રેશર વધી જતા તેઓને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. MRI કર્યા બાદ આગળની સારવાર હાથ ધરવામાં આવશે.

રાજ્ય કક્ષાના પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની રાજકીય સફર સંઘર્ષમય રહી છે. ધારાસભ્ય બનવા માટે 27 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. 1995માં પ્રથમવાર મોડાસા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા પણ તેની હાર થઈ હતી. આ પછી વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે અને 2007માં બસપાની ટિકિટ પર મોડાસા બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, પણ તેમાં પણ નસીબે સાથ ન આપતા ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ ભાજપે 2017ની ચૂંટણીમાં મોડાસા બેઠક પરથી ભીખુસિંહ પરમારને ટિકિટ આપી હતી, જો કે 1640 વોટના અંતરે હારી ગયા હતા.

આ પછી ભાજપે ફરી ભીખુસિંહને જ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મોડાસા બેઠક પરથી ટિકિટ આપી હતી. આ વખતે તેઓ જીતીને 27 વર્ષની રાજકીય સફરમાં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. હાલ ભીખુસિંહ પરમાર ગુજરાત સરકારમાં કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રી અને અન્ન નાગરિક પુરવાઠા વિભાગની જવાબદારી સંભાળી રહ્યા છે.  ગુજરાત એસટી વિભાગમાં હેલ્પર તરીકે નોકરી કરી હતી. જેમાં તેમણે સાફ સફાઈ કરવાની કામગીરી પણ કરી હતી.  ત્રણ વર્ષ સુધી નોકરી કર્યા બાદ તેમણે હેલ્પર તરીકેની નોકરી છોડી દીધી હતી. આ ઉપરાંત તેમણે આરોગ્ય વિભાગમાં પણ દવા છંટકાવ કરવા હંગામી ધોરણે કામ કર્યું હતું

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular