Thursday, June 19, 2025
Google search engine
HomeNewsGujaratશ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં આઠ કોરોનાગ્રસ્ત દર્દીઓનાં મોતઃ સગાંઓનો ભારે હંગામો

શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં આઠ કોરોનાગ્રસ્ત દર્દીઓનાં મોતઃ સગાંઓનો ભારે હંગામો

અમદાવાદઃ શહેરના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગતાં કમસે કમ આઠ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ હોસ્પિટલ કોવિડ-19ના દર્દીઓ માટે ફાળવવામાં આવી છે. આ આગની દુર્ઘટનામાં કોવિડ-19ના દર્દીઓનાં મોત થયાં છે. શ્રેય હોસ્પિટલમાં ગઈ કાલે રાત્રે આશરે ત્રણ કલાકે અચાનક આગ લાગી હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા પાંચ પુરુષો અને ત્રણ મહિલા સહિત આઠ દર્દીઓના મોત થયાં હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આ દુર્ઘટના ICUમાં લાગી હતાં, જેમાં સારવાર લઈ રહેલા આઠ દર્દીઓનાં મોત થયાં હતાં.આ હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે અને આ હોસ્પિટલ સામે FIR નોંધવામાં આવ્યો છે.

વડા પ્રધાને ટ્વીટ કર્યું

આ દુર્ઘટનાની વડા પ્રધાને ગંભીર નોંધ લેતાં એક ટ્વીટ કર્યું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ દુર્ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. આ આગમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. આ આગમાં એક પિતા-પુત્રના પણ મોત થયાં હતાં. વડા પ્રધાને આ દુર્ઘટનાને અત્યંત દુખદ ગણાવી હતી અને મૃતકોને બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. જોકે મુખ્ય પ્રધાને આ ઘટનામાં કોઈ સહાયની હજી સુધી જાહેરાત નથી કરી.

હોસ્પિટલમાં આગ શોર્ટ સર્કિટને કારણે

શ્રેય હોસ્પિટલમાં આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની શક્યતા છે. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. આ હોસ્પિટલને ફાયરનું NOC મળ્યું હતું કે કેમ –એ પણ તપાસ કરવામાં આવી છે. હાલમાં આરોગ્ય સચિવ જયંતી રવિ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં.

 અન્ય 35 દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડાયા

આ હોસ્પિટલમાં આગ લાગ્યા પછી ફાયર બ્રિગ્રેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ હોસ્પિટલના કર્મચારીઓએ આગ લાગ્યાના તરત બાદ 35 અન્ય દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

મધરાતે હોસ્પિટલમાં અફરાતફરી

આ આગ ત્રણથી સાડાત્રણ દરમ્યાન લાગતાં મધરાતે હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 8 દર્દીઓના મોત થયા છે. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. હોસ્પિટલમાંથી અન્ય લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે.

શ્રેય હોસ્પિટલ બહાર દર્દીઓના પરિવાજનોનો આક્રોશ
શ્રેય 50 બેડવાળી કોવિડ-19 હોસ્પિટલ છે. જ્યાં 40થી વધુ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં જે દર્દીઓનાં મોત થયાં છે, એ દર્દીઓની માહિતી પરિવારજનોને ન આપવાના આક્ષેપ સાથે હોસ્પિટલની બહાર પરિવારજનોનો આક્રોશ જોવા મળ્યો હતો.

આ હોસ્પિટલમાં જે દર્દીઓનાં મોત થયાં છે, તેમનાં નામ નીચે મુજબ છે.

પાલડીના આયશાબહેન તીરમિઝી- પાલડી,  જ્યોતિબેન સિંધી- ખેરાલુ, અરવિંદભાઈ ભાવસાર-મેમનગર,  નવીનલાલ શાહ- ધોળકા,  આરિફ મન્સૂરી-વેજલપુર, લીલાવતીબેન શાહ- વાસણા,  નરેન્દ્રભાઈ શાહ-ધોળકા અને  મનુભાઈ ઈશ્વરભાઈ રામી- મેમનગરનો સમાવેશ થાય છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular