Thursday, June 12, 2025
Google search engine
HomeNewsGujaratસરસપુર: ભગવાન જગન્નાથનું મામેરુ

સરસપુર: ભગવાન જગન્નાથનું મામેરુ

અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથજી ના મંદિરે થી 146 મી રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે નીકળશે. ભગવાન જગન્નાથ ની યાત્રા શહેરમાં નીકળેએ પહેલાં પરંપરાગત પ્રસંગો ની ઉજવણીઓ શરૂ થઇ ગઈ છે.

અમદાવાદ નો સરસપુર વિસ્તાર રથયાત્રાનું મુખ્ય આકર્ષણ છે. આ વિસ્તારમાં આવેલું રણછોડજીનું મંદિર ભગવાનનું મોસાળ માનવામાં આવે છે. દર વર્ષે ભાવિક ભક્તો મોસાળાનો લાભ લેતા હોય છે. આ વર્ષે મામેરાના મુખ્ય યજમાન મેઘાણીનગરના ઘનશ્યામ પટેલ છે.

 

મુખ્ય યજમાન ઘનશ્યામ પટેલ દ્વારા મામેરાની ધામ ધૂમથી રણછોડજી મંદિર સરસપુરમાં પધરામણી કરાવી હતી. ત્યાર બાદ બુધવાર 14 જુન , 5:00 થી હજારો ભાવિક ભક્તોએ શ્રધ્ધા પૂર્વક મામેરાના દર્શન કર્યાં હતા. સરસપુરના મુખ્ય માર્ગ પર મામેરાના દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી. એટલુ જ નહીં સરસપુરમાં રોજ રાત્રે મંદિર પરિસરમાં ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભક્તિમાં લીન થઇને ભાવિકો ભગવાન જગન્નાથને લાડ લડાવશે.

શહેરના આ ભરચક વિસ્તારમાં માર્ગો પર ભજનોના તાલે ભક્તો ઝુમી ઉઠ્યા હતા. વિશાળ જન મેદની ને ધ્યાન માં રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પ્રજ્ઞેશ વ્યાસ

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular