Thursday, August 21, 2025
Google search engine
HomeNewsGujaratસાળંગપુર વિવાદઃ સાધુ-સંતો, CM ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક

સાળંગપુર વિવાદઃ સાધુ-સંતો, CM ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક

સાળંગપુરઃ સાળંગપુરમાં હનુમાનજીનાં ભીંતચિત્રોને લઈને વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આ વિવાદ દિન-પ્રતિદિન ઉગ્ર થઈ રહ્યો છે. આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે હવે ભીંતચિત્રોના વિવાદ મામલે હવે સરકાર દ્વારા સક્રિય થઈ છે છે. આ વિવાદ મામલે મુખ્ય મંત્રીના નિવાસસ્થાને ટૂંક સમયમાં સાધુ-સંતો સાથે બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો પણ હાજર છે. ગૃહ રાજ્યમંત્રી પણ આ બેઠકમાં હાજર છે.

સાળંગપુર મંદિર ભીંતચિત્રોના વિવાદને લઇ ગઈકાલે અમદાવાદના સાણંદ હાઈવે પર આવેલા લંબે નારાયણ આશ્રમમાં સનાતન ધર્મના સંતોની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યના મોટાભાગના સાધુ-સંતો હાજર રહ્યાં હતા. હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ-સંતોમાં આક્રોશ ફેલાયો છે. સાધુ-સંતો અને હિન્દુ સંગઠન ભેગા થઈ તમામ વ્યૂહરચના બનાવી છે. જેમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ કેટલાંક નિર્ણય લીધા છે. જેમાં સ્વામિનારાયણ મંદિરે જઈશું નહીં, સ્વામિનારાયણ સંતો સાથે સ્ટેજ પર નહીં બેસીએ. આ પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાયનો સનાતન સંતોએ બહિષ્કાર કર્યો હતો. સનાતન ધર્મમાંથી સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

સાળંગપુરમાં હનુમાનજીની વિશાળ કિંગ્સ ઓફ સાળંગપુર પ્રતિમા લગાવવામાં આવી છે. આ પ્રતિમાની નીચે કેટલાંક ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે, જેમાં હનુમાનજીને સ્વામિનારાયણના સંતોના દાસ દર્શાવવામાં આવ્યા છે. સતત વકરી રહેલા વિવાદમાં હવે સરકાર સક્રિય થઈ છે.

આ સાથે લખનઉમાં અખિલ ભારતીય સંત સમિતિની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક મળી હતી, જેમાં અખિલ ભારતીય સંત સમિતિના તમામ હોદ્દા પરથી નૌતમ સ્વામીને દૂર કરવામાં આવ્યા છે. સાળંગપુરમાં વિરોધ થયો, જેને અમે બિરદાવીએ છીએ. સંતો દરેક રીતે લડવા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું.

આ સાથએ સાણંદના લંબેનારાયણ આશ્રમમાં ડો. જ્યોતિર્નાથ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંત સંમેલનમાં 13 જેટલા વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. સનાતન ધર્મમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે રીતે અવારનવાર પુસ્તકોથી લઈ વિવિધ જગ્યાએ હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવે છે, ત્યારે આ ઠરાવોને પસાર કરી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આ સંત સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર છે. સંત સંમેલનમાં સાધુ-સંતો દ્વારા માટો નિર્ણય લેવામાં આવ્યો છે. સાધુ-સંતો દ્વારા સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સાધુ-સંતોએ નિર્ણય લીધો છે કે તેઓ હવે સ્વામિનારાયણ મંદિરમાં જશે નહીં અને સાધુ સંતોની સાથે સ્ટેજ પર પણ બેસશે નહીં. જેમાં લંબે નારાયણ આશ્રમમાં સાધુ-સંતોએ શપથ લીધા છે. સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કર્યો છે. સાધુ-સંતોએ સ્વામિનારાણના સંતોના કાર્યક્રમમાં ન જવા શપથ લીધા છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular