Thursday, May 22, 2025
Google search engine
HomeNewsGujaratગિરનાર પર ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ

ગિરનાર પર ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ

જૂનાગઢ: ગુજરાત સહિત દેશમાં ઠંડીનું જોર વધ્યું છે. ઠંડીના જોરા સાથે પવન ફૂંકાવાઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપ-વે સેવા હાલમાં બંધ કરાઈ છે. તેમજ 4 દિવસથી ભારે પવનના કારણે રોપ-વેના સંચાલન પર તેની અસર પડી રહી છે. જ્યારે પવનની ગતિ સ્થિર થતાં રોપ-વેની સેવા ફરી શરુ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગિરનાર શિખર પર 50-54 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય છે. જેના કારણે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જૂનાગઢ શહેરમાં તાપમાનમાં અણધારી અને અસામાન્ય વધઘટ થઈ રહી છે. ગુરુવારે આજે એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 8.2 ડિગ્રીનો વધારો થયો છે. જો કે બર્ફીલા પવનના કારણે ઠંડીનું જોર યથાવત્ છે. જેથી માર્ગો પર વહેલી સવારે અને મધરાત્રે લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભેજમાં વધઘટના કારણે જૂનાગઢમાં છેલ્લા ચાર દિવસથી તાપમાનમાં ફેરબદલ થઈ રહી છે. બેથી ત્રણ ડિગ્રી ગગડતાં પારામાં એકાએક 8.2 ડિગ્રીનો વધારો થયો છે. ભેજના પ્રમાણમાં ઘટાડો થયો છે, પરંતુ 7.2 પ્રતિ કિલોમીટરની ઝડપે પવનથી વાતાવરણ ઠંડુગાર થયું છે. લઘુત્તમ તાપમાન વધ્યું પરંતુ પવનના કારણે ઠંડીથી બચવા લોકો તાપણું, ગરમ ચા અને કાવાની ચુસકી લઈ રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular