Thursday, May 22, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદમાં પાલતુ શ્વાન માટે રજિસ્ટ્રેશન ફરજિયાત, 1 જાન્યુઆરીથી નવા નિયમો લાગુ

અમદાવાદમાં પાલતુ શ્વાન માટે રજિસ્ટ્રેશન ફરજિયાત, 1 જાન્યુઆરીથી નવા નિયમો લાગુ

અમદાવાદમાં નવા વર્ષના આગમન સાથે જ કેટલાક નવા નિયમોનું નાગરિકોએ પાલન કરવું પડશે. અમદાવાદ વાસીઓએને પણ હવે શ્વાન રાખવા માટે નિયત પ્રક્રિયા પુર્ણ કરવી પડશે. અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવા હશે તો નોંધણી ફરજિયાત કરાવવી પડશે. પાલતુ શ્વાન માટે રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવાયુ છે. 1 જાન્યુઆરીથી 90 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત કરાયું છે. એટલુ જ નહી AMCમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે 200 રૂપિયા ફી ભરવી પડશે તેમજ શ્વાનના ફોટોગ્રાફ સાથે જગ્યાના પુરાવા પણ આપવા પડશે.

નવા વર્ષના પ્રારંભથી અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવા માટે નિયત પ્રક્રિયા પુર્ણ કરવી પડશે. 1 જાન્યુઆરીથી અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવા રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવવામાં આવ્યુ છે. શહેરીજનો જો પાલતુ શ્વાન રાખવા માંગતા હોય તો તેમણે એએમસીમાં રજિસ્ટ્રેશન કરાવવા રુપિયા 200 ફી ભરવી પડશે અને શ્વાનના ફોટોગ્રાફ સાથે તેને રાખવાની જગ્યા સાથેના જરુરી પુરાવા રજૂ કરવા પડશે. સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન તથા એનીમલ બર્થ કંટ્રોલ ડોગ્સ રુલ્સ-2023 ઉપરાંત રેબીસ ફ્રી અમદાવાદની ગાઈડલાઈન અનુસાર અમદાવાદમાં 1 જાન્યુઆરીથી પેટ ડોગ રાખવા 90 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવવામાં આવ્યુ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular