Saturday, July 19, 2025
Google search engine
HomeNewsGujaratરાજકોટ પોલીસ તંત્ર એલર્ટ, સુરતમાં પથ્થરમારા બાદ અપાયો કડક આદેશ

રાજકોટ પોલીસ તંત્ર એલર્ટ, સુરતમાં પથ્થરમારા બાદ અપાયો કડક આદેશ

રાજકોટ: શહેરના તંત્ર એલર્ટ મોડમાં આવી ચૂક્યું છે. હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. અને સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારા જેવી ઘટના રાજકોટમાં ન બને તે માટે તકેદારીના ભાગરૂપે શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ આજે 324 જેટલા ગણપતિ પંડાલના આયોજકો સાથે મિટિંગ રાખી જરૂરી સૂચનાઓ આપી હતી. શહેરના એડિશ્નલ પોલીસ કમિશનર, તમામ ડીસીપી અને એસીપી સહિતના અધિકારીઓની હાજરીમાં યોજાયેલી આ મિટીંગમાં ગણપતિ પંડાલના આયોજકોને સીસીટીવી કેમેરા રાખવા, પંડાલમાં 24 કલાક સ્વયંસેવકો રહે તેનું ધ્યાન રાખવા, ભીડભાડ ન થાય તે માટે એન્ટ્રી અને એકઝીટ ગેટ અલગ રાખવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત પોલીસ પણ ગણપતિ પંડાલો આસપાસ પેટ્રોલીંગ કરતી રહેશે તેની ખાતરી આપવામાં આવી હતી. પોલીસને ગણપતિ પંડાલોમાં નિયમીત રીતે જઈ નિરીક્ષણ કરવા અને આયોજકોને કોઈ પ્રશ્નો હોય તો તેનો ત્વરીત નિકાલ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. જેના પગલે હવેથી ગણપતિ પંડાલો આસપાસ દરેક પોલીસ મથકોની પીસીઆર અને બાઈક પર પોલીસ પેટ્રોલીંગ કરતી રહેશે.

ઉલ્લેખનીય છે કે જે રીતે રાતના સમય પર અસામાજીક તત્વો સુરતના ગણેશ પંડાલ પર આક્રમણ કર્યું હતું, એ રીતે બીજી કોઈ પણ જગ્યા પર આવી ઘટકા કે રાતના સમયે બીજી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિશેષ તકેદારી રાખવા ગણપતિ પંડાલના આયોજકોને પોલીસે સૂચના આપી હતી. એટલું જ નહીં વિર્સજન વખતે પણ ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો નહીં વગાડવા સહિતની પણ સૂચના આપ્યા હતા. આ ઉપરાંત તમામ ગણેશ પંડાલના આયોજકોએ નજીક પોલીસ સ્ટેશનમાં ગણેશ આયોજનનું રજીસ્ટ્રેશન કરવાના આદેશ પણ આપવામાં આવ્યો છે. આ તમામ આયોજકો સાથે  આજે મિટીંગ ગોઠવવામાં આવી હતી. ગણપતિ વિર્સજન સુધી પોલીસ આયોજકો સાથે સતત સંપર્કમાં રહેશે. એટલું જ નહીં આયોજકોને પણ પોલીસ સાથે સંપર્કમાં રહેવા જણાવાયું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular