Thursday, June 12, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતમાં ન્યાયતંત્ર માટે 133 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ, 21 નવા કોર્ટ રૂમનો સમાવેશ

ગુજરાતમાં ન્યાયતંત્ર માટે 133 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ, 21 નવા કોર્ટ રૂમનો સમાવેશ

ગુજરાતમાં ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત કરવા નવી 21 કોર્ટ સહિત 133 કરોડ રૂપિયા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે. ખાતમુહૂર્ત વખતે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું. ‘આજે સોલા ખાતે સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટી સાથેનું ગુજરાત હાઇકોર્ટનું અદ્યતન ભવન કાર્યરત છે. ન્યાયાલયો, તેની સાથે સંકળાયેલી નવી ઈમારતો કે મકાનો બાંધવા સહિત ન્યાયાધીશો અને કોર્ટ સ્ટાફને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો હંમેશાં પ્રયાસ રહ્યો છે.’

વધુમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘કોઈ પણ દેશ કે રાજ્યના વિકાસમાં અને ગુડ ગવર્નન્સમાં કાયદો વ્યવસ્થા અને ન્યાયપ્રણાલીનું મહત્વનું યોગદાન હોય છે. ન્યાયતંત્ર, વહીવટી તંત્ર અને ધારાસભાએ લોકશાહીના અને સુશાસનના આધારસ્તંભ છે. આ ત્રણેય વચ્ચેનું યોગ્ય સંકલન સુશાસન અને લોકતંત્રને ગતિમાન રાખે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘લોકોને સુશાસનનો પ્રત્યક્ષ અનુભવ થાય તે માટે ઝડપી ન્યાય પ્રાપ્ત થાય એ અતિ આવશ્યક છે. આ માટે રાજ્ય સરકાર ન્યાયતંત્ર અને હાઇકોર્ટની જરૂરિયાત અનુસારના સંસાધનો ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે. આ માટે કાયદા વિભાગના બજેટમાં રાજ્ય સરકારે નાણાકીય ફાળવણી કરી છે. વર્ષ 2021-22માં આ ફાળવણી 1698 કરોડ રૂપિયા હતી, જે 2024-25માં 2586 કરોડ રૂપિયા કરવામાં આવી છે. જે ન્યાયતંત્રની કાર્યક્ષમતા વધારવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ડિજિટલાઈઝેશન અને સુદૃઢ માનવબળ ઉપલબ્ધ કરાવવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ દર્શાવે છે.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular