Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદઃ કોરોનાના કેસ આવતા ભાગદોડ

અમદાવાદઃ કોરોનાના કેસ આવતા ભાગદોડ

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલા ગોતા નજીકના સત્યમેવ વિસ્ટામાં રહેતા પી.એચ.સી. સેન્ટરના ડોક્ટરને કોરોના પોઝિટિવ આવતા ભારે દોડ ધામ મચી ગઈ હતી.

કોરોનાની મહામારી વચ્ચે સેવા આપી રહેલા લોકો મોટી સંખ્યામાં હવે ભોગ બની રહ્યા છે. કોરોનાના ચેપથી પોલીસ કર્મચારીઓ, નર્સ અને ડોક્ટર સંક્રમણમાં આવવા લાગતા રાત દિવસ સેવા આપતા લોકોમાં ભય ફેલાઇ રહ્યો છે.

શહેરની ગરીબ વસ્તી હોય કે પોશ વિસ્તાર વાયરસના સંક્રમણથી ભયભિત થઈ ગયા છે. શહેરના ગોતા વિસ્તારમાં આવેલા સત્યમેવ વિસ્ટા એપાર્ટમેન્ટના અમુક ભાગને આરોગ્ય ખાતાના કર્મચારીઓએ સ્વચ્છ કરી, ફાયર બ્રિગેડની ગાડી તેમજ ફોગીંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કર્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular