Sunday, May 25, 2025
Google search engine
HomeNewsGujaratરથયાત્રાના રૂટ પર રહેશે પોલીસની કડક નજર..

રથયાત્રાના રૂટ પર રહેશે પોલીસની કડક નજર..

અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાની તૈયારી પૂર જોશમાં ચારી રહી છે. જગન્નાથજીની યાત્રા પહેલા મિની યાત્રા ગણાતી જળયાત્રા તારીખ 20 જૂનમાં વાજતે ગાજતે પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે હવે ભગવાન જગન્નાથજી તારીખ 7 જુલાઈના રોજ નગર ચર્યા પર નકળશે. જેના ભાગ રૂપે અમદાવાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ચૂકી છે. રથયાત્રાના રૂટ પર 360 ડીગ્રીના 1278 સીસીટીવી કેમેરા લાગી ગયા છે. આ તમામ સીસીટીવી દુકાનોની બહાર દુકાનધારક દ્વારા લગાવવામાં આવ્યા છે. આથી રથયાત્રા રૂટના તમામ રોડ, ગલી અને એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટને પણ સીસીટીવી કેમેરાથી આવરી લેવામાં આવશે.

ગુજરાતના અમદાવામાં યોજાનારી આગામી ભગવાન જગન્નાથજી યાત્રામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અને ગુજરાત જાહેર સલામતી અમલીકરણ અધિનિયમ 2022 સમગ્ર રાજ્યમાં અમલમાં છે. આ કાયદાના અસરકારક અમલીકરણ માટે તે માટે અમદાવાદ શહેરમાં જનભાગીદારીથી CCTV કેમેરા સિસ્ટમ લગાડવા નાના મોટા તમામ દુકાનદારો, એસોશિએશન તેમજ સોસાયટીના પ્રતિનિધીઓ દ્વારા અમદાવાદ શહેર પોલીસને સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. હવે શહેરમાં જાહેર રોડ પર ગુનો કરીને ભાગતાં આરોપીને પકડી પાડવા માટે 360 ડીગ્રીના CCTV કેમેરા લગાડવામાં આવ્યાં છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular