Friday, June 13, 2025
Google search engine
HomeNewsGujaratકોરોના કઇ રીતે અસર કરે એક સર્જકની સંવેદનાને...

કોરોના કઇ રીતે અસર કરે એક સર્જકની સંવેદનાને…

અમદાવાદઃ પોતાની આસપાસની સ્થિતિથી સર્જકને હંમેશા ખલેલ પહોંચે છે. અને આ ખલેલ જ એમને કશુંક સર્જન કરવા પ્રેરે છે. આજકાલ કોરોના વાયરસે આખ્ખા વિશ્વને માત્ર ખલેલ જ નથી પહોંચાડી પરંતુ તેનું સમગ્ર અસ્તિત્વ જ જાણે ખળભળાવી દીધું છે.

ત્યારે આપણી ભાષાના એક અત્યંત ઋજુ પ્રકૃતિ ધરાવતા અને ઓછાં પણ હંમેશા શ્રેષ્ઠ સર્જન દ્વારા ગુજરાતી ભાષાને રળિયાત કરતા રહેલા સંવેદનશીલ કવિ માધવ રામાનુજને કોરોનાએ કેવી રીતે અને કેવી ખલેલ પહોંચાડી છે એ એમની કલમમાંથી હજુ આજે જ પ્રગટેલા શબ્દો દ્વારા જાણવા અને માનવસહજ સંવેદનાથી માણવા જેવું છે… કોઈ પણ કલાકૃતિને દરેક ભાવક એની રીતે જોતો હોય છે. દરેકને એ કૃતિમાંથી પસાર થવાનો એક આગવો અનુભવ થતો હોય છે, એટલે એનાં વિશે વધુ કોઈ વાત કરવાને બદલે આપને જ એનો “સ્પર્શ ” પામવાની વિનંતિ કરું છું… આમેય આ વાત સ્પર્શ દ્વારા પ્રગટ થતા એક અનુભવ વિશ્વની જ છે !.

(ભિખેશ ભટ્ટ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular