Sunday, June 8, 2025
Google search engine
HomeNewsGujaratPM મોદી બનશે ગુજરાતના મહેમાન..

PM મોદી બનશે ગુજરાતના મહેમાન..

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના મહેમાન બનશે.17મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો તેમનો જન્મદિવસ છે. તેઓ ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં ગાંધીનગર ખાતે યોજાનારી ગ્રીન એનર્જી સમિટ માટે તેઓ ભાગ લેશે. મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ આવી જશે. ત્યારબાદ તેઓ 17મી સપ્ટેમ્બરે સમિટમાં ભાગ લેશે. આ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરી શકે છે. આ માટે કેટલીક તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી છે. પ્રધાનમંત્રીના સત્તાવાર કાર્યક્રમમાં બીજા પણ કાર્યક્રમ સામેલ હોવાની વિગત જાણવા મળી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે ગુજરાતમાં આવવા હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. 16મી સપ્ટેમ્બરે તેઓ અમદાવાદ આવશે અને 17મી સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે તેઓ ગાંધીનગરમાં ગ્રીન એનર્જી સમિટમાં ભાગ લે તેવી શક્યતા છે. એટલું જ નહીં તેમના જન્મદિવસે નિમિત્તે બીજા કેટલાક કાર્યક્રમો પણ સામેલ થાય તેવી વાત સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરીનું લોકાર્પણ તે દિવસે જ કરવામાં આવે તેવું પણ વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બર રાતે અમદાવાદ આવશે અને 17મી સપ્ટેમ્બર મોડીરાતે તેઓ પરત ફરશે તેવું જાણવા મળી રહ્યું છે.પ્રધાનમંત્રીના બીજા કેટલાક કાર્યક્રમો પણ હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત પીએમ કાર્યાલયમાંથી થશે તેવું ગાંધીનગરના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular