Saturday, May 24, 2025
Google search engine
HomeNewsGujaratવડાપ્રધાન મોદીનો 21-22 માર્ચનો ગુજરાત પ્રવાસ રદ્દ કરાયો

વડાપ્રધાન મોદીનો 21-22 માર્ચનો ગુજરાત પ્રવાસ રદ્દ કરાયો

ગાંધીનગરઃ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે અને વિશ્વના કેટલાય દેશોમાં કોરોનાએ પોતાનો કહેર વરસાવ્યો છે. આ વાયરસને કારણે ભારતમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. કોરોના વાયરસને લઈ મોદી સરકાર અત્યંત ગંભીર છે અને આ વાયરસ વધારે પ્રસરે નહી તે માટેનાં તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસને કારણે વડાપ્રધાન મોદી મોદીએ 21 અને 22મી માર્ચનો પોતાનો બે દિવસીય ગુજરાત પ્રવાસ રદ્દ કરી દીધો છે.

વડાપ્રધાન મોદીએ આ પહેલા પણ કોરોના વાયરસને કારણે બાંગ્લાદેશનો પ્રવાસ રદ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, કોરોના મુદ્દે ભારત સરકાર સતર્ક છે. અને રાજ્ય સરકાર કેન્દ્રનાં સંપર્કમાં છે. તો કોરોનાને કારણે વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી 21 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના હતા. વડાપ્રધાન વડોદરામાં એક જાહેરસભાને સંબોધિત કરવાના હતા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ક્રૂઝનું લોકાર્પણ કરવા સહિતના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા હતા. પરંતુ કોરોના વાયરસને ધ્યાને રાખતા ભીડ એકત્ર ન થાય તે માટે કાર્યક્રમને મુલતવી રાખવામાં આવ્યો છે. અને બાદમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમની નવી તારીખો જાહેર કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular