Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratપારસીઓનું નવું વર્ષ 'નવરોજ'

પારસીઓનું નવું વર્ષ ‘નવરોજ’

શહેરના ખમાસા વિસ્તારમાં આવેલી પારસી અગિયારી માં 16 ઓગષ્ટ, બુધવાર ની વહેલી સવારથી જ નવરોઝ માટે લોકો ભેગા થયા. પવિત્ર અગ્નિ જ્યાં પૂજાય છે એ અગિયારી માં પારસી ભાઈ બહેનોએ નવા વર્ષ ની ઉજવણી કરી હતી.

ઐતિહાસિક રીતે જોઈએ તો મૂળ ઈરાન થી આવેલી અને સંજાણ બંદરે ઉતરી ભારત માં દૂધ માં સાંકરની જેમ ભળી ગયેલા પારસી સમુદાયે આગવી ઓળખ ઉભી કરે છે. ભારત દેશ માં ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સંરક્ષણ ક્ષેત્ર સહિત અનેક જગ્યાએ પારસી સમુદાય ના લોકો નો મહત્વનો ફાળો છે. જેમાં દાદાભાઈ નવરોજજી, જમશેદજી ટાટા , જનરલ માનેક્સા જેવા અનેક મહાનુભાવો નો સમાવેશ થાય છે.

નવરોજ એટલે નવો દિવસ..પ્રકૃતિ ને ધન્યવાદ કરતો આ દિવસ છે. નવરોજ નો તહેવાર પારસી રાજા જમશેદ ના નામથી રાખવા માં આવ્યો હતો. પારસી રાજા જમશેદ દ્વારા શહેનશાહી કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું હતું. આ સમુદાય ના લોકો માને છે જમશેદે દુનિયા ને તબાહ થતી બચાવી હતી. એની તાજપોશી નો ઉત્સવ મનાવાયો ત્યાર પછી આ તહેવાર રૂપે શરૂ થઇ હતી.

નવા વર્ષ ની ઉજવણી ના ભાગ રૂપે પારસીઓ જ્યાં પણ વસે છે ત્યાં અગિયારી માં જઈ પૂજા કરે છે. સગાં વહાલાં મિત્રો ને શુભેચ્છાઓ પાઠવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular