Wednesday, May 28, 2025
Google search engine
HomeNewsGujaratવાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઈનું નિધન

વાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઈનું નિધન

અમદાવાદઃ વાઘ બકરી ચા ગ્રુપ (ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું 49 વર્ષની વયે નિધન થયું છે. તેઓ 15 ઓક્ટોબરે તેમના ઘર નજીક ઇસ્કોન આંબલી રોડ પાસે મોર્નિંગ વોક માટે ગયા હતા ત્યારે તેઓ રસ્તાના રખડતા કૂતરાઓનો પીછો કરવાથી બચવાના પ્રયાસ કરતી વખતે પડી ગયા હતા, જે પછી તેમને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેઓ વાઘ બકરી ચા બ્રાંડના માલિક છે.

તેમનું નિધન સ્ટ્રીટ ડોગ્સથી બચવાને કારણે થયું હતું. તેઓ પડી ગયા પછી તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેને કારણે બ્રેઇન હેમરેજ થયું. તેમનું સાત દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા પછી 22 ઓક્ટોબરે ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. કોંગ્રેસના ગુજરાત એકમના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ તેમના નિધનથી શોક વ્યક્ત કર્યો હતો.

પરાગ દેસાઈ વાઘ બકરી ચા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર રમેશ દેસાઈના પુત્ર હતા. તેમનૈ 30થી વધુ વર્ષોનો વેપારનો અનુભવ હતો. તેઓ વાઘ બકરી ટી ગ્રુપને ટી લાઉન્જ, ઈ-કોમર્સ, ડિજિટલ અને સોશિયલ મિડિયા જેવા ક્ષેત્રોમાં આગળ ધપાવતા હતા.  દેસાઈ આ પ્રીમિયમ ટી કંપનીના ચોથી પેઢીના ઉદ્યોગસાહસિક હતા. તેઓ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવા ઉદ્યોગ મંચોમાં સક્રિય હતા. વાઘ બકરી ચા બ્રાન્ડ નારણદાસ દેસાઈ દ્વારા 1925માં લોન્ચ કરવામાં આવી હતી. કંપનીનું ટર્નઓવર રૂ. 1500 કરોડથી વધુ છે. તેમણે અમેરિકાની આઇલેન્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું હતું,

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular