Monday, June 9, 2025
Google search engine
HomeNewsGujaratઆણંદમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ, સાથીઓની શોધ જારી

આણંદમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ, સાથીઓની શોધ જારી

અમદાવાદઃ રાજ્યમાંથી પાકિસ્તાની જાસૂસની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. તે ભારતમાં રહીને પાકિસ્તાની એજન્સી માટે કામ કરતો હતો. ATSએ આણંદથી ધરપકડ કરી છે. આ પાકિસ્તાની સંસ્થા તરફથી જાસૂસી કરતો આ યુવક ભારતીય લશ્કરના નંબર પાકિસ્તાનમાં પહોંચાડતો હતો. તે ઉપરાંત ટેક્નોલોજીથી ડિફેન્સના કર્મચારીઓના ફોનમાં ટ્રોઝન કરીને વિવિધ માહિતી પાકિસ્તાનમાં મોકલતો હતો. આ માહિતી આપવાના બદલામાં તેને મોટી રકમ મળતી હોવાનું ATSને તેની ઊલટતપાસમાં જાણવા મળ્યું હતું. આ આરોપીની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે પાકિસ્તાન માટે જાસૂસી કરતા લાભશંકર મહેશ્વરી નામનો શખસ કેટલાક મોબાઇલ નંબરો મારફતે પાકિસ્તાનને માહિતી પૂરી પાડી મોટી રકમ વસૂલતો હતો. તે ફોનમાં ટ્રોઝન કરીને ભારતીય આર્મીના અધિકારીઓના ફોનમાંથી વિગતો એકઠી કરીને પાકિસ્તાનની સંસ્થાને મોકલતો હતો.

ATSના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ગતિવિધિની જાણ સેન્ટ્રલ એજન્સીને મળી હતી, જેથી એણે આ વ્યક્તિનો નંબર અને વિગતો ગુજરાત એટીએસને સોંપી હતી. જે વિગતને આધારે ગુજરાત ATS દ્વારા આ જાસૂસને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી પાસેથી કેટલા અધિકારીનો ડેટા અને ફોનની વિગત પાકિસ્તાન પહોંચાડી એ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ જાસૂસની પાસે પૈસા અને કાર્ડ પણ મળ્યાં છે. પાકિસ્તાનની જાસૂસ સેનાના જવાનો અને અધિકારીઓ 2005માં આ શખસે ભારતની નાગરિકતા પણ મેળવી લીધી હતી. લાભશંકરે વર્ષ 2022માં પાકિસ્તાનની મુલાકાત પણ કરી હતી. ATS દ્વારા ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિના સંપર્કમાં રહેલી અન્ય વ્યક્તિઓની પણ તપાસ કરવામાં આવી રહી છે અને એ માટે રાજ્યભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular