Thursday, May 15, 2025
Google search engine
HomeNewsGujaratપાકિસ્તાન મરીનને ભારતીય બોટ પર કર્યુ ફાયરિંગ, માછીમારોનો આબાદ બચાવ

પાકિસ્તાન મરીનને ભારતીય બોટ પર કર્યુ ફાયરિંગ, માછીમારોનો આબાદ બચાવ

ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન જાણે સુધરવાનું નામ જ નથી લઈ રહ્યો. રવિવારે મોડી રાત્રે પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે માછીમારોની બોટ ડૂબી ગઈ હતી. જોકે, સદનસીબે માછીમારોનો બચાવ કરી લેવામાં આવ્યો હતો. પરંતુ માછીમારની બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. સમગ્ર ઘટનામાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનો બચાવ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાન મરીનની નાપાક હરકત પાકિસ્તાન મરીન સિકયુરીટી ગાર્ડ દ્વારા અવાર નવાર ભારતીય બોટ અને માછીમારોને અપહરણ કરી જવામાં આવતા હોય છે. જોકે કેટલાક સમયથી શાંતિ જોવા મળી હતી. ગઇકાલે રવિવાર રાત્રીના સમયે ભારતીય જળ સીમા નજીક માછીમારી કરી રહેલી ઓખાની બોટ પર પાક મરીને ફાયરિંગ કર્યું હતું. ફાયરીગને લઇ ઓખાની બોટે જળ સમાધી લઇ લીધી હતી. આ બનાવની જાણ થતાં કોસ્ટગાર્ડ તુરંત મદદે પહોંચી ગયું હતું અને બોટના માછીમારોને બચાવી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. માછીમારોને બપોર બાદ ઓખા બંદરે લવાશે. ભારતીય જળ સીમા નજીક પાક મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ગુજરાતના માછીમારોમાં ભયનો મહોલ જોવા મળી રહ્યો છે. આ ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular