Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratવિરોધના વંટોળમાં પદ્મિનીબા વાળા, પતિ પર હુમલો કરવાનો આક્ષેપ

વિરોધના વંટોળમાં પદ્મિનીબા વાળા, પતિ પર હુમલો કરવાનો આક્ષેપ

રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનના પદ્મિનીબા વાળાએ તેમના પતિ ગિરિરાજસિંહ સાથે માથાકૂટ કરતો વીડિયો વાયરલ થયો છે. પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર પર ભેગા થઈને તેમના પતિ ગિરિરાજસિંહને માર મારવાનો આક્ષેપ થયો છે. રાજકોટમાં થયેલા ક્ષત્રિય આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા સાથે ઘણા વિવાદ જોડાયેલા છે. પરંતુ હાલ પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર પર ગંભીર આક્ષેપ થયો છે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર ક્ષત્રિય સમાજનાં મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. ક્ષત્રિય અસ્મિતા સંમેલનના પદ્મિનીબા વાળાનો એક કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમના પતિ ગિરિરાજ સિંહ સાથે માથાકૂટ થઈ હોવાનું વીડિયોમાં સંભળાઈ રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર એ તેમના પતિ ગિરિરાજસિંહને માર માર્યો હોવાની ચર્ચા થઈ રહ્યો છે. વીડિયોમાં અભદ્ર ભાષામાં પદ્મિનીબા અને તેમના પતિ બોલાચાલી કરતા જોવા મળે છે. પતિ ગિરિરાજસિંહ પર પત્ની પદ્મિનીબા અને તેમના પુત્રે હુમલો કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારબાદ ગિરિરાજ સિંહને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. રાજકોટનાં રેલનગરમાં આવેલા રામેશ્વર પાર્કમાં ઘરમાં મોડી રાતે કોઈ બબાલ મામલે પદ્મિનીબા અને તેમના પુત્રે પતિ ગિરિરાજસિંહ પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. આથી, તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ મામલે હાલ કોઈ સચોટ માહિતી સામે આવી નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular