Monday, June 9, 2025
Google search engine
HomeNewsGujaratસુરત મનપા ગેમઝોનને લઈ સજાગ, આકરા નિયમોનું માલિકોને કરવું પડશે પાલન

સુરત મનપા ગેમઝોનને લઈ સજાગ, આકરા નિયમોનું માલિકોને કરવું પડશે પાલન

રાજકોટ TRP ગેમઝોનમાંથી દાઝ્યા બાદ તંત્રમાં સજાગ થયું હતું. રાજ્યના ગેમઝોન પર તંત્રની લાલ આંખ જોવા મળી હતી. નિયમ ઉલ્લંઘનને લઈ ગેમઝોનના માલિકો સામે આકરા પગલા પણ લેવાઈ રહ્યા છે. આ ઉપરાંત હવે આવી ઘટનાઓ ન બને એ માટે વિવિધ જરૂરી પગલાં પણ લેવાઈ રહ્યા છે. ત્યારે હવે સુરત પોલીસ પણ આ મામલે સખતાઈ અપનાવી રહી છે. હવે સુરતમાં ગેમઝોન શરૂ કરવા માટે સુરત પોલીસનું નવેસરથી લાયસન્સ લેવું પડશે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના જેવી દુર્ઘટના શહેરમાં ન બને તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા પહેલીવાર 63 પાનાનું જાહેરનામું બહાર પડાયું છે. ગેમઝોન માલિકોએ જાહેરનામાના કડક નિયમોનું પાલન કરવાનું રહેશે.

રાજ્યનું મહાનગર ગણાતા સુરત શહેરની પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું જેનું કડક પાલન શહેરના તમામ ગેમ ઝોનના માલિકોને કરવાનો રહેશે. ભલે હાલમાં ગેમઝોનના માલિકો પાસે લાઇસન્સ હોય, છતાં પણ તેમણે નવેસરથી લાઇસન્સ લેવું પડશે. સાથે જ અલગ અલગ ગેમની અલગ પરમિશન પણ લેવી પડશે. દરેક ગેમનું ઇન્સ્પેક્શન, લાઇસન્સ સહિતની પ્રક્રિયા કરવાની રહેશે. ઇન્સ્પેક્શન થયા બાદ જ લાયસન્સ આપવામાં આવશે. આ ઉપરાંત એક્સપર્ટનો અભિપ્રાય લેવાનું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે. ગેમઝોન માલિકોએ ફરજીયાતપણે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ લેવાનું રહેશે. દરેક ગેમને ગેમઝોનમાં ઇન્સ્ટોલ કરવા પહેલાં પરવાનગી લેવી પડશે.

જાહેરનામામાં આપવામાં આવેલા નિયમોનું પાલન ન કરનાર ગેમઝોનના માલિકો સામે ફોજદારી કરવામાં આવશે. સુરત શહેર પોલીસ કમિશનરના જાહેરનામાથી સ્પષ્ટ છે કે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ જેવી ઘટના સુરતના કોઈ ગેમઝોનમાં ન બને એ માટે સુરત પોલીસ સતર્ક બની ગઈ છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular