Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratદિવાળીના દિવસે 108 દોડતી જ રહી, દાઝવાના 38 અને અકસ્માતના 921 કોલ...

દિવાળીના દિવસે 108 દોડતી જ રહી, દાઝવાના 38 અને અકસ્માતના 921 કોલ મળ્યા

દિવાળીના પર્વ પર લોકોએ પોતાના ઘરે પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી પણ લોકો માટે ‘સંજીવની’ ગણાતી 108 દિવસ-રાત દોડતી રહી હતી. 108ના સ્ટાફે એક જ દિવસમાં 4889 કોલ એટેન્ડ કર્યા હતા. સામાન્ય દિવસો કરતાં દિવાળીના દિવસે 108ને 8.50% ટકા વધુ કોલ મળ્યા હતા. જેમાં દાઝવાના 38 જ્યારે અકસ્માતના 921 કોલ મળ્યા હતા. સૌથી સારી વાત એ છે કે, અમદાવાદ જિલ્લામાં સામાન્ય દિવસો કરતાં દિવાળીએ ટોટલ ઈમર્જન્સી કોલમાં ઘટાડો નોંધાયો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજ્યમાં એક જ દિવસમાં ઈમર્જન્સી કોલમાં 8.50 ટકાનો વધારો નોંધાયો હતો. રાજ્યમાં 108 સેવાને સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 4504 ઈમર્જન્સી કોલ મળતા હોય છે. તેના બદલે દિવાળીના દિવસે 4889 ઈમર્જન્સી કોલ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સામાન્ય રીતે મારામારી દરરોજના 144 કેસ મળતા હોય છે. દિવાળીના દિવસે મારામારીના 323 કેસ મળ્યા હતા. જે સામાન્ય દિવસો કરતાં 124 ટકા વધુ હતા. દિવાળીના દિવસે રાજ્યમાં સામાન્ય દિવસો કરતાં ઈમર્જન્સી કેસમાં વધારો નોંધાતો હોય છે. પરંતુ, અમદાવાદ જિલ્લામાં કુલ કેસમાં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, માર્ગ અકસ્માતના બનાવમાં સામાન્ય દિવસો કરતાં 45.56 ટકા વધારો થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ, અરવલ્લી, ભરૂચ, બોટાદ, દાહોદ, મહીસાગર, મોરબી, પંચમહાલ, પોરબંદર, વલસાડ જિલ્લામાં સૌથી વધુ ઈમર્જન્સી કોલ મળ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular