Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujarat૨૨મીએ ગુજરાતના આ રામમંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠા થશે...

૨૨મીએ ગુજરાતના આ રામમંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠા થશે…

જામનગરઃ જામનગર જિલ્લામાં રિલાયન્સ રિફાઈનરી નજીકના પડાણામાં ૨૦, ૨૧ અને ૨૨ જાન્યુઆરી દરમિયાન ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પડાણામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવેલા શ્રીરામ મંદિરમાં ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના શુભ મુહૂર્તમાં મૂર્તિની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

વર્ષ ૧૯૯૮માં પરિમલભાઈ નથવાણી દ્વારા ગ્રામજનોની ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા રામ મંદિર વર્ષો વીતતાં જીર્ણ- શીર્ણ થયું હતું. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના ધ્યાને આ બાબત આવતાં જ તાબડતોબ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની કામગીરી હાથ પર લેવામાં આવી હતી અને નવોન્મેશ પામેલાં મંદિરમાં શ્રીરામ પ્રભુની પ્રતિમાને પુન: પધરાવવાનો કાર્યક્રમ ૨૨ જાન્યુઆરીના અત્યંત શુભ મુહૂર્તમાં યોજાવાનો છે.

ધનરાજભાઈ નથવાણીની અખંડ આસ્થાને કારણે ગામને મળેલી આ ભેટને સત્કારવા ગ્રામજનોમાં પણ અનેરો ઉત્સાહ વ્યાપી રહ્યો છે. ગ્રામ અગ્રણી ગોવુભા જાડેજાના જણાવ્યા મુજબ આ માંગલિક પ્રસંગને સમસ્ત ગામ ૨૦-૨૧-૨૨ જાન્યુઆરીએ ત્રિદિવસીય મહોત્સવ તરીકે ઊજવશે.

રામલલ્લાની શોભાયાત્રા સહિતનાં અનેક ધાર્મિક કાર્યો ગ્રામજનો દ્વારા ગોઠવવામાં આવ્યાં છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular