Friday, May 30, 2025
Google search engine
HomeNewsGujaratગણપત યુનિવર્સિટી દ્વારા NSSની સેવા શિબિરનું આયોજન

ગણપત યુનિવર્સિટી દ્વારા NSSની સેવા શિબિરનું આયોજન

વિદ્યાનગરઃ ગણપત યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાર્મસી અને સ્પિન્કો બાયોટેક લિ.ના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિષય હતો- રિસેન્ટ ટ્રેન્ડ્સ ઓફ લિક્વિડ કોમેટોગ્રાફી (HPLC). ફાર્મા ઉદ્યોગ અને ફાર્મા-વિદ્યાર્થીઓ માટે બહુ વિષય ઉપરની આ વર્કશોપમાં ગુજરાતભરની 14 જેટલી ફાર્મસી અને સાયન્સ કોલેજના 100 જેટલા ચુનંદા વિદ્યાર્થીઓ, રિસર્ચ-સ્કોલર્સ તેમ જ પ્રાધ્યાપકોએ બહુ રસપૂર્વક ભાગ લીધો હતો.

આ વર્કશોપના ઉદઘાટન સમારોહમાં અમેરિકી સ્થિત ફાર્માસિસ્ટ યોગેશ પટેલ, વિવેક શર્મા, દિનેશ ગજેરા (સ્પિન્કો બાયોટેક લિ.), ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. એસ. પંચોલી, ડીન ડો. પરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં ઉપસ્થિત સૌથ વિદ્વાન-નિષ્ણાત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને, અભ્યાસુ સંશોધકોને તેમ જ વિદ્વાન પ્રાધ્યાપકોને આજના વિષયને સુસંગત એવા જ્ઞાન-માહિતીથી સમૃદ્ધ કર્યા હતા. વર્કશોપને સફળ બનાવવામાં કો-ઓર્ડિનેટર પ્રો. ડો. સતીશ એ. પટેલ અને તેની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

ગણપત યુનિવર્સિટીની ફાર્મસી કોલેજ- એસ. કે. પટેલ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ દ્વારા જ એક પૂરા સાત દિવસના NSS શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણાના વિસનગર તાલુકાના ઉદલપુર ગામે યોજાઈ ગયેલી શિબિરમાં કોલેજનના 50 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સેવા-પ્રવૃત્તિઓ કરી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન, વિવિધ રમતગમતો, ડેન્ટલ કેમ્પ, હોમિયોપથિક કેમ્પ, આંખના નંબર ચેક કરવા માટેનો ખાસ કેમ્પ, ખેડૂતભાઈઓ માટે ખેતી વિષયક તેમ જ પશુપાલન વિષયક માર્ગદર્શન માટે નિષ્ણાતોનાં વ્યાખ્યાનો જેવી સેવા-પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વળી, સ્ત્રીઓ માટેના ખાસ કાર્યક્રમો ઉપરાંત પ્રભાત ફેરી તેમ જ સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા.

આ સેવા-શિબિરમાં ગણપર યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપત દાદા, પ્રો. ડો. એસ. એસ. પંચોલી, પ્રો. જો. સત્યેન પરીખ ઉપરાંત ગામના અગ્રણીઓ જયંતીભાઈ વિરમભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular