Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratહિમાલયને ભાવેણાઓ ઘરઆંગણે અનુભવી શકશે

હિમાલયને ભાવેણાઓ ઘરઆંગણે અનુભવી શકશે

ભાવનગર:  ફોટો જર્નાલિઝમ અને માઉન્ટેઈનરીંગ એટલે કે પત્રકારત્વની તસવીરી કલા અને પર્વતારોહણના સમન્વયરૂપ અનોખું ફોટો એક્ઝિબિશન ‘હિમાલય’ ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીની સહાયથી ભાવનગર ખાતે યોજાશે. જેમાં પર્વતારોહક જિજ્ઞેષ ઠાકરે 15 વર્ષ દરમ્યાન હિમાલયના શિખરો પર કરેલા પરિભ્રમણની તસવીરો પ્રદર્શનમાં નિહાળી શકાશે.

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર, લડાખમાં પર્વતારોહણ દરમ્યાન પ્રાપ્ત થયેલા ત્યાંના લોકજીવન, ધર્મ, કૃષિ, શિક્ષણ, સંસ્કૃતિ સહિતના વિષયો પરના ફોટોગ્રાફ પસંદગી પામ્યા છે.

માર્ચના પ્રથમ અઠવાડિયામાં સરદારનગર ખાતે ખોડિદાસ પરમાર આર્ટ ગેલેરીમાં વરિષ્ઠ તસવીરકાર અમૂલભાઈ પરમારના હસ્તે એક્ઝિબિશન ખુલ્લુ મુકવા આયોજન હાથ ધરાયું છે.

જિજ્ઞેશ ઠાકર પર્વતારોહણ ઇન્સ્ટિટ્યૂટ, માઉન્ટ આબુ ખાતે ઇન્સ્ટ્રક્ટર તરીકે અને જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ, ઈગ્નોમાં ફેકલ્ટી તરીકે સેવા આપી રહ્યા છે અને તેમણે પોતાના શિખર આરોહણ દરમ્યાન તસવીરી કળા અજમાવી છે. જે ‘હિમાલય’ને ભાવનગરવાસીઓ ઘરઆંગણે અનુભવી શકશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular