Monday, June 9, 2025
Google search engine
HomeNewsGujaratસૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયો છલકાયા..

સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયો છલકાયા..

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. ત્યારે ગુજરાતમાં સારા વરસાદને પગલે તમામ જળાશયોમાં પાણીની આવક નોંધાય રહી છે. જેમાં સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.86%, કચ્છના 20 જળાશયોમાં 50.8% પાણી છે તો દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 50.34% પાણી તો પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત સરદાર સરોવર ડેમ 53.67 ટકા પાણીથી ભરાયો છે. અહીં નોંધનીય છે વાત છે કે રાજ્યના 53 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, અને 132 ડેમોમાં હજુ પણ 70% કરતાં ઓછા પાણીનો સંગ્રહ છે.

 ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદનો રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના જળાશયોમાં પાણી ભારે માત્રમાં આવક નોંધાય છે. જેમાં દેવભૂમિ દ્રારકામાં વરસાદની તોફાની બેટિંગ નોંધાય હતી. ભારે વરસાદના પગલે જિલ્લાના તમામ 14 ડેમો ઓવરફલો થયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ ગણાતો ભાદર ડેમ છે, તેમાં પણ પાણીની આવકમાં 50 ટકા કરતા વધારેનો સંગ્રહ કરવામાં આવ્યો છે, રાજકોટની આસપાસના નાના ગામડાઓમાં રહેલ ચેકડેમો પણ છલકાઈ ગયા છે.

તો બીજી બાજું ગુજરાતી જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની આવક નોંધાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સરદાર સરોવર ડેમાં હાલ 55 ટકાથી ઉપર જળસંગ્રહ નોંધવામાં આવ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતનો મહત્વનો મધર ઈન્ડિયા ડેમ પણ સંપૂર્ણ ભરાય ગયો છે. તો વડોદરાના આજવા સરોવરની જળ સપાટીમાં વધારો થતા વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે,નવસારીની પૂર્ણા નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular