Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsGujaratચોમાસુ સત્રઃ સરકાર અંધશ્રદ્ધા વિરોધી કાયદો લાવશે

ચોમાસુ સત્રઃ સરકાર અંધશ્રદ્ધા વિરોધી કાયદો લાવશે

ગાંધીનગરઃ રાજ્ય વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર 21થી 23 ઓગસ્ટમાં યોજાવાનું છે. આ સત્રમાં સરકાર પાંચ મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરવાની છે, જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અંધશ્રદ્ધાવિરોધી કાયદો છે. ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક 2024″ નામના આ વિધેયકમાં અંધશ્રદ્ધા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની જોગવાઈ છે. આ કાયદા હેઠળ, કહેવાતા ચમત્કારોનો પ્રચાર, ભૂત પ્રેત ભગાડવાના નામે શારીરિક પીડા આપવી, અનિષ્ટ શક્તિઓનો દાવો કરવો, અને અલૌકિક શક્તિના નામે જાતીય શોષણ જેવી પ્રવૃત્તિઓ ગુનો ગણાશે.

આ કાયદા હેઠળ દોષિતોને 6 મહિનાથી 7 વર્ષ સુધીની જેલની સજા અને રૂ. 5 હજારથી 50 હજાર સુધીનો દંડ થઈ શકે છે. જોકે, ધાર્મિક વિધિઓ અને પરંપરાઓને આ કાયદાથી મુક્તિ આપવામાં આવી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

વિધાનસભાના આ સત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 20 ઓગસ્ટે વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે, જેમાં સત્રનું વિસ્તૃત આયોજન નક્કી કરવામાં આવશે. આ વિધેયક ઉપરાંત અન્ય ચાર મહત્વપૂર્ણ વિધેયકો પણ આ સત્રમાં રજૂ થવાની શક્યતા છે. રાજ્ય સરકારે આ તમામ વિધેયકોને કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દીધી છે.

રાજ્યમાં  જેથી હવે કહેવાતા ચમત્કારો અને તેના પ્રચાર-પસાર કરવો ગુનો ગણાશે તેમ જ ભૂત કે ડાકણ ભગાડવાને નામે શારીરિક પીડા આપવી અને અપાવવી ગુનો ગણાશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular