Friday, June 6, 2025
Google search engine
HomeNewsGujaratમોદી સરકારનું 11મું બજેટ સુવ્યવસ્થિત સર્વસમાવેશી છે: હરદીપસિંહ પુરી

મોદી સરકારનું 11મું બજેટ સુવ્યવસ્થિત સર્વસમાવેશી છે: હરદીપસિંહ પુરી

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, કેન્દ્રિય બજેટ-2024-25 સંદર્ભે કેન્દ્રિય મંત્રી હરદીપસિંહ પુરીએ આજરોજ પત્રકાર પરિષદને અમદાવાદ ખાતે સંબોધન કર્યું. હરદીપસિંહ પૂરીએ જણાવ્યુ કે, આજે મારુ સૌભાગ્ય છે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારનું 11મુ બજેટ અને કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણનું 7મુ બજેટ રજૂ થયું છે. જ્યારે વડાપ્રધાન તરીકે દાયિત્વ સંભાળ્યું ત્યારે ભારત દેશની અર્થવ્યવસ્થા 10 અથવા 11માં નંબર પર હતી. આજે દેશ વિશ્વની 5માં નંબરની અર્થવ્યવસ્થામાંની એક છે. આજે આપણી અર્થવ્યવસ્થાએ GDP ક્ષેત્રમાં 4 ટ્રિલિયન ડોલરની નજીક છે. હમણાં ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ તરફથી એક સ્ટેટમેન્ટ આવ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા 2027 સુધી 3જા સ્થાન પર પહોંચી જશે.

 

હરદીપસિંહ પૂરીએ વધુમાં જણાવ્યુ કે, બજેટ જ્યારે રજૂ થાય છે ત્યારે સૌને કોઈની અપેક્ષાઓ હોય છે, ત્યારે લોકો અનુમાનો કરે છે પરંતુ બજેટ અંતિમ વિશ્લેષણ છે. હું ચોક્કસ કહીશ કે મોદી સરકારના આ 11 બજેટ સુવ્યવસ્થિત સર્વસમાવેશી રજૂ ન થયું હોત, તો આજે અર્થવ્યવસ્થા 5માં સ્થાને પહોંચવું સંભવ મુશ્કેલ બને. હું માનું છું કે આ ભૌતિક એકત્રીકરણ વાળું બજેટ એ ખાસ છે કારણ કે, જે રીતે ભારતે મહામારીનો સામનો કર્યો છે પ્રશંસનીય છે, કારણ કે હજુ ઘણા દેશો છે જે બહાર નથી નીકળી શક્યા. મોદી સરકારે 220 કરોડથી વધારે વેક્સિનના ડોઝ બનાવ્યા અને મફતમાં દરેક દેશવાસીઓને આપ્યા છે.

હરદીપસિંહ પૂરીએ જણાવ્યુ કે, આજે ભારતનું GDP પણ આગળ વધી રહ્યું છે, વિશ્વભરમાં રેંકિંગ પણ વધી રહી છે ભારતમાં વિશ્વની તુલનામાં પેટ્રોલ ડીઝલના ભાવ સૌથી ઓછા થયા છે. ઉપલબ્ધતા અને સુલભતા બંને સ્થિરતા ત્રણેય મહત્વના છે. વિપક્ષ કઈક અલગ જ વાતો કરે છે કે તમે માત્ર બે રાજ્યોને જ લાભ આપ્યા છે. કોઈક એમને પૂછો કે “રાજ્ય પુનર્ગઠન અધિનિયમ” વખતે કોની સરકાર હતી દિલ્લીમાં હતી. રજૂ થયેલ બજેટ એ “ફર્સ્ટ ક્લાસ” બજેટ છે. મોદી સરકારે દેશના તમામ નાગરિકો માટેની સુવ્યવસ્થિત યોજનાઓ બનાવી છે અને પ્રજા સુધી પહોંચે છે જેમકે, હમણાં જ મહિલાઓને લોકસભા તેમજ વિધાનસભામાં 33% આરક્ષિત કરવામાં આવી છે. માત્ર શહેરી વિકાસ જ નહીં મોદી સરકારે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે પણ 2.66 લાખ કરોડ તેમજ મુદ્રા લોનમાં વધારો કરી 10 લાખની જગ્યાએ 20 લાખ કરવામાં આવી આવી ઘણી બધી યોજનાઓમાં વધારો કરવામાં આવ્યો છે ઘણી નવી યોજનાઓ પણ પ્રજા સુધી પહોંચાડવા માટે ભાજપની સરકાર કટિબદ્ધ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular