Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત, 1 જાન્યુઆરીથી નિયમ થશે લાગુ

અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત, 1 જાન્યુઆરીથી નિયમ થશે લાગુ

અમદાવાદ: શહેરમાં રિક્ષા ચાલકોના ભાડાને લઈ પાછલા ઘણા સમયથી નાના મોટા વિવાદ પ્રકાશમાં આવતા રહેતા હોય છે. ત્યારે અમદાવાદ શહેર તંત્રએ રિક્ષા ચાલકો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. શહેર કમિશ્નરે જાહેરનામુ બહાર પાડી તમામ રિક્ષાચાલકો માટે મીટર સિસ્ટમ ફરજિયાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલી જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરવામાં આવશે. પહેલી તારીખ બાદ જે પણ રિક્ષાચાલકની રિક્ષામાં મીટર લાગેલા નહીં હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

પાછલા ઘણા સમયથી ટ્રાફિક પોલીસને સામાન્ય લોકો દ્વારા રિક્ષાચાલકોને લઈને ઘણી ફરિયાદો મળતી હતી. જેને ધ્યાને લઈ નાગરિકોની સુવિધા માટે આ નિયમ લાવવામાં આવ્યો છે. જોકે, આ નિયમના અમલીકરણ પહેલાં રિક્ષાચાલકોને મીટર લગાવવા માટે પહેલી તારીખ સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે. પહેલી તારીખથી રિક્ષાચાલકોની રિક્ષામાં મીટર ફરજિયાતપણે લગાવેલું હોવું જોઈએ, તેમજ મુસાફરોને ફક્ત મીટર ભાડું નક્કી કરીને જ મુસાફરી કરાવવાની ફરજ પાડવામાં આવી છે. આ સિવાય પહેલી તારીખ બાદ જે પણ રિક્ષાચાલક મીટર વિના રિક્ષા લઈને ધંધો કરવા નીકળશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ, જો રિક્ષાચાલકો દ્વારા મુસાફરો પાસેથી મીટર ભાડાં સિવાય મનમાની રીતે ભાડું વસૂલવામાં આવશે તો તેવા રિક્ષાચાલકો સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular