Thursday, May 15, 2025
Google search engine
HomeNewsGujaratઅંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટ માટે મેગા ડિમોલિશન

અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટ માટે મેગા ડિમોલિશન

ગુજરાતમાં વિકાસ કામે આડે આવતી જમીને અને સરકારની જમીનો પર ગેરકાયદે બાંધકામ કરના સામે સરકાર એક્શન મોડમાં આવી છે. પહેલા દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં ડિમોલેશસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે અંબાજીમાં શક્તિ કોરીડોર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને આડે આવતા ઘણ ઘર પર બુલડોઝરથી સાફ કરી દબાણ હટાવવાની કામગરી હાથ ધરવામાં આવી હતી. અંબાજીના 89થી વધુ ઘરોને નોટિસ આપવામાં આવી છે. મેગા ડિમોલિશનની કામગીરીમાં 200થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અંબાજી ખાતે દબાણો દૂર કરવાની કામગીરી હાઈકોર્ટના નિર્દેશ બાદ શરૂ થઈ છે. શક્તિ કોરિડોરના માર્ગ પર આવેલા મકાનોના ડિમોલિશનના વિરોધમાં લગભગ 60 લોકોએ હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરી હતી. પરંતુ હાઈકોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપવા ઇનકાર કરી દીધો અને તંત્રને દબાણો દૂર કરવાની તાત્કાલિક સૂચના આપી હતી. અંબાજીમાં 89 કાચા અને પાકા મકાનોને તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી કલેક્ટર, જિલ્લા પોલીસવડા અને અન્ય ઉંચા અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. અનિચ્છનીય બનાવ ટાળવા માટે પુલિસના કડક બંદોબસ્તના પગલાં લેવામાં આવ્યા છે. 50 વર્ષોથી વધુ સમયથી રહેતા લોકોના ઘરને મોડી રાત્રે ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વર્ષોથી રહેતા લોકોના મકાનો તૂટતા લોકો ઘર વિહોણા થયા છે. આ ડિમોલિશનની કામગીરીને લઇ લોકોના ધર સામાન ન લેવા દેતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ વ્યાપ્યો છે. ગઈ કાલે સાંજથી આખી રાત વહીવટી તંત્ર અને 200થી વધુ પોલીસ જવાનો કામગીરીમા જોડાયા હતા. જે.સી.બી. વડે તમામ ધરોને કરાયા જમીનદસ્ત કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular