Monday, June 9, 2025
Google search engine
HomeNewsGujaratથલતેજના ટાઇટેનિયમ સ્ક્વેરમાં વિકરાળ આગ

થલતેજના ટાઇટેનિયમ સ્ક્વેરમાં વિકરાળ આગ

અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ટાઇટેનિયમ સ્ક્વેર બિલ્ડિંગના 10માં માળે આજે વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી. આ આગ એટલી ભયાવહ હતી કે તેને બુઝાવવા માટે ફાયરની 28 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની કલાકોની જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. સદનસીબે આ આગમાં કોઈ જાનહાનીના સમાચાર હજી મળ્યા નથી.

પ્રાથમિક માહિતી અનુસાર આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ આગ જોત જોતામાં એટલી વિકરાણ બની ગઈ કે ત્રણ માળમાં આવેલી 12 ઓફિસો બળીને ખાખ થઈ ગઈ હતી. આગ 10માં માળેથી 9 અને 11માં માળ સુધી પહોંચી ગઈ હતી. ભીષણ આગ લાગી હોવાના કારણે વધારે ફાયર બ્રિગેડની ટીમો બોલાવવામાં આવી હતી ચાંદખેડા, સાબરમતી, મણિનગર સહિતના ફાયર સ્ટેશનની કુલ 28 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયરના જવાનોએ વિવિધ સાધનોની મદદથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા. કોમર્શિયલ બિલ્ડિંગના ત્રણ માળમાં સંપૂર્ણપણે આગ ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા વિવિધ સાધનોનો ઉપયોગ કરી અને ઓફિસોના દરવાજા તોડીને આગને કાબૂમાં લેવા ફાયર ફાઈટિંગ કરવાની ફરજ પડી હતી. ત્રણ કલાક જેવી ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular