Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratપરિવારના બે બાળકો સહિત સાત સભ્યોનો સામૂહિક આપઘાત

પરિવારના બે બાળકો સહિત સાત સભ્યોનો સામૂહિક આપઘાત

સુરતઃ શહેરના અડાજણમાં આવેલા પાલનપુર પાટિયા વિસ્તારમાં સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં પરિવારની સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં પતિ, પત્ની, માતા, પિતા અને બે બાળકો સહિત પરિવારના સાત લોકોએ આપઘાત કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર પરિવારના છ લોકોએ ઝેરી દવા ગટગટાવી અને એક વ્યક્તિએ ગળેફાંસો ખાધો છે.

શહેરમાં સોલંકી પરિવારને કોઈ અંગત કારણસર ઝેર ઘોળ્યું છે. જેથી એકસાથે સાત લોકોના મોતથી થયાં છે. આ બનાવમાં પતિ-પત્ની, માતા-પિતા અને એક બાળક અને બે બાળકી સાથે સામૂહિક આપઘાત કરી લીધાં છે. મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, જ્યારે તેમણે પરિવારના અન્ય સભ્યોને ઝેરી દવા આપી હોવાની આશંકા છે.આ પરિવાર પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતો હતો. જ્યારે આખા પરિવારે સામૂહિક આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે શોક વ્યાપી ગયો હતો. આ ઘટનાને પગલે પોલીસનો મોટો કાફલો દોડી આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રથામિત માહિતી અનુસાર આર્થિક તંગીના લીધે આ પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે પોલીસ દ્વારા તમામ લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવના પગલે પોલીસ અધિકારીઓએ આસપાસમાં રહેતા લોકોની અને પરિવારજનો પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular