Friday, June 13, 2025
Google search engine
HomeNewsGujaratIIT દ્ધારા મહાત્મા ગાંધીને જન્મજયંતિની 'સ્વચ્છાંજલિ'

IIT દ્ધારા મહાત્મા ગાંધીને જન્મજયંતિની ‘સ્વચ્છાંજલિ’

મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિની ‘સ્વચ્છાંજલિ’ અર્પણ કરવાના નમ્ર પ્રયાસરૂપે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) એ  પાલજ ગામમાં સામૂહિક સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કર્યું હતું.

આ ઇવેન્ટ – “એક તારીખ-એક ઘંટા” – “સ્વચ્છતા હી સેવા” થીમ પર પખવાડિયા સુધી ચાલતી “સ્વચ્છતા પખવાડા” ઉજવણી અંતર્ગત પ્રવૃત્તિઓની શ્રેણીનો એક ભાગ હતો.

સંસ્થાના 100 થી વધુ સભ્યો આ કાર્યમાં જોડાયા હતા. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફનો સમાવેશ થાય છે, પાલજ ગામમાં સ્થળને સાફ કરવા માટે એક કલાકનું ‘શ્રમદાન’ આપ્યું અને લગભગ 650 કિલો કચરો એકઠો કર્યો. એટલુ જ નહીં ગ્રામજનોને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાના મહત્વ વિશે પણ જાગૃત કર્યા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular