Tuesday, December 2, 2025
Google search engine
HomeNewsGujaratઅંબાજી ભાદરવી પૂનમનો મહામેળોઃ ૨૧ લાખ જેટલા મંત્રોનું લેખન

અંબાજી ભાદરવી પૂનમનો મહામેળોઃ ૨૧ લાખ જેટલા મંત્રોનું લેખન

અંબાજીઃ આદ્યશક્તિ મા અંબાના ધામ અંબાજીમાં ૨૩થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. આ મહામેળામાં દૂરસુદૂરથી લાખોની સંખ્યામાં યાત્રિકો પદયાત્રા કરીને માતાજીનાં દર્શન કરવા આવે છે. આ મહામેળામાં આવતા માઇભક્તોની મનોકામના પૂર્ણ થાય એ માટે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના હાજીપુરમાં આવેલ મંથન અપંગ કન્યા સેવા સંકુલની દીકરીઓ દ્વારા જય અંબેના ૨૧ લાખ જેટલાં મંત્રોનું લેખન કરવામાં આવ્યું છે. આ સંસ્થામાં ૨૦૦ જેટલી અનાથ, દિવ્યાંગ, માનસિક અસ્થિર અને પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ અભ્યાસ કરે છે.

મા જગદંબા સૌની મનોકામના પૂર્ણ કરે અને સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ પથરાય તથા માતાજીના આશીર્વાદ સમગ્ર સૃષ્ટિ પર વરસતા રહે એ માટે આ દિવ્યાંગ દિકરીઓ દ્વારા મંત્ર લેખન કરવામાં આવી રહ્યું છે. જય અંબે.. મંત્ર લેખન કાર્ય પૂર્ણ થયા બાદ જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઇ પટેલ દ્વારા આ દીકરીઓએ લખેલા મંત્રો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલને અર્પણ કરવામાં આવશે.

મંથન અપંગ કન્યા સેવા સંકુલની કુલ ૨૦૦ જેટલી દિકરીઓ દ્વારા જય અંબેના ૨૧ લાખ જેટલા મંત્રોનું લેખન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ સંસ્થામાં અભ્યાસ કરતી પ્રજ્ઞાચક્ષુ દીકરી શીતલે પણ બ્રેઇનલિપિથી જય અંબેના મંત્રો લખ્યા છે. શીતલે કહ્યું હતું કે હું જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છું, એટલે માતાજીની શક્તિને અનુભવી શકું છું, મને માતાજીમાં ખુબ જ શ્રદ્ધા છે. મેં બ્રેઇન લિપિથી માતાજીના મંત્રો લખવાનો પ્રયાસ કર્યો છે. એ મંત્રો જય ભોલે ગ્રુપના માધ્યમથી માતાજીના ધામ અંબાજીમાં પહોંચશે ત્યારે મને ખૂબ આનંદ મળશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular