Monday, July 7, 2025
Google search engine
HomeNewsGujaratમીઠાખળીના નવા અંડર બ્રિજમાં પાયાની સુવિધાનો અભાવ

મીઠાખળીના નવા અંડર બ્રિજમાં પાયાની સુવિધાનો અભાવ

અમદાવાદઃ શહેરના મીઠાખળી વિસ્તારમાં પગપાળા જતાં લોકો અને ટૂ વ્હીલર માટે તૈયાર કરવામાં આવેલા અંડરબ્રિજમાં પાયાની સુવિધા જેવી કે સ્ટ્રીટ લાઇટ જ નથી. આ સ્ટ્રીટ લાઇટ વગરનું નવનિર્મિત ગરનાળું અંધારી ગુફા જેવું લાગે છે. આ સાથે સાંકડા ગરનાળામાં સામેથી આવતા વાહન કે માણસોને જોવા કાચ પણ મૂક્યા નથી.

અમદાવાદમાં રહેણાક અને વેપાર-ધંધાથી ધમધમતા મીઠાખળી આશ્રમ રોડ અને ગાંધીગ્રામ રેલવે સ્ટેશન વિસ્તારથી એકદમ નજીક આવેલો છે. પહેલાં રેલવે ક્રોસિંગને કારણે જૂના નટરાજ સિનેમા, આશ્રમ રોડ, ગાંધીગ્રામ સ્ટેશન તરફથી આવતા વાહનોથી ટ્રાફિક-જામ થઈ જતો. આ વિસ્તારમાં રેલવેના પાટા, સ્ટેશનને નવા બનાવવા માટે વિકાસ થઈ રહ્યો છે, જેમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશનથી મીઠાખળી ગામ તરફ નવો અંડર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ આ અંડર બ્રિજની ડિઝાઇન ખામીયુક્ત લાગી રહી છે. આ અન્ડરબ્રિજ અત્યંત સાંકડો, વધુ ઢાળવાળો બ્રિજ ફક્ત પગપાળા જતા લોકો અને ટૂ વ્હીલર માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજ અંધારિયા ભોંયરા જેવો છે, આ અન્ડર બ્રિજમાં ભયાનક વળાંક છે. રાહદારીઓ કે વાહનચાલકો એકબીજાને જોઈ શકે એ માટે સ્ટ્રીટ લાઇટ કે કાચ જેવી સુવિધા પણ નથી.

રેલવેએ આ વિસ્તારમાં કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી ખુલ્લા મૂકી દીધેલા આ ગરનાળા જેવા અંડર બ્રિજમાં લાઇટની વ્યવસ્થા નથી. રાત્રે સ્ટ્રીટ લાઇટ ન હોવાથી અકસ્માતનો સતત ભય લાગે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular