Saturday, July 12, 2025
Google search engine
HomeNewsGujaratશહેરમાં કાર્તિક સ્વામી મંદિરમાંથી કાવડ યાત્રા કાઢવામાં આવી

શહેરમાં કાર્તિક સ્વામી મંદિરમાંથી કાવડ યાત્રા કાઢવામાં આવી

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર વિસ્તારના શ્રી બાલાજી મુરુગન દેવસ્થાનમ સંચાલિત કાર્તિક સ્વામી મંદિરનો 57મો ઉતરીમ મહોત્સવ ઊજવવામાં આવ્યો. આ મહોત્સવના ભાગરૂપે એક વિશાળ કાવડ યાત્રા નીકળી હતી.

અમદાવાદ શહેરમાં અનેક સમાજના લોકો વર્ષોથી રહે છે. પોતાના તહેવાર, ઉત્સવો ધામધૂમથી ઊજવે છે. ખોખરા હાટકેશ્વર સહિત અમદાવાદના ઘણા વિસ્તારોમાં દક્ષિણ ભારતના લોકો વસે છે.

હાટકેશ્વર વિસ્તારના કાર્તિક સ્વામી મંદિરના ઉત્સવમાં દક્ષિણ ભારતના લોકો પરંપરાગત પહેરવેશ સાથે જોડાયા હતા. આ કાવડ યાત્રામાં ભાવિક ભક્તો દૂધ અને જળ ભરેલા કુંભ, ખભા પર કાવડ લઈ મોરપીંછ સાથે સમગ્ર વિસ્તારમાં પ્રદક્ષિણા કરી જ્યાં સૌએ સ્વાગત કર્યું હતું.. કલરફૂલ કાવડ યાત્રાનો નજારો અદભુત લાગતો હતો..

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular