Thursday, May 15, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન તરીકે IPS નીરજા ગોટરૂની નિમણૂંક

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન તરીકે IPS નીરજા ગોટરૂની નિમણૂંક

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે આઈપીએસ નીરજા ગોટરૂની નિમણૂંક કરાઈ છે. હસમુખ પટેલના રાજીનામા બાદ ચેરમેન પદ ખાલી હતુ. ઉલ્લેખનીય છે કે ચેરમેનની નિમણૂંક થતા ભરતી પ્રક્રિયા ઝડપી બનવાની શક્યતા સેવાય રહી છે. નીરજા ગોટરૂ એ મહિલા આઈપીએસ છે અને આઈપીએસ અધિકારીમાં સારી છબી ધરાવે છે. હસમુખ પટેલ પહેલા પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હતા અને ત્યારબાદ તેમને જીપીએસસી બોર્ડના ચેરમેન બનાવ્યા હતા એટલે હસમુખ પટેલની જગ્યા ખાલી હતી.

ચિંતન શિબિર પછી રાજ્ય સરકારે નિર્ણય લીધો છે અને પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નીરજા ગોટરૂની પસંદગી કરાઈ છે. ગગનદીપ ગંભીર અને વબાંગ ઝમીરનું નામ પણ અગ્રેસર ચાલી રહ્યું હતુ. વર્ષ 1993ની બેચના નીરજા ગોટરૂને એડીશનલ ડીજીપી તાલીમ ગાંધીનગર ખાતે નિમણૂંક આપવામાં આવી હતી. રાજકોટ પોલીસ કમિશનરના નામની જયારે ચર્ચા હતી ત્યારે તેઓનું નામ પણ રેસમાં ચાલતુ હતુ. તેમણે અમદાવાદમાં પણ ટ્રાફિક વિભાગમાં તેઓ ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી છે. ઉલ્લેખનીય છે કે, IPS અધિકારી હસમુખ પટેલના ચેરમેન પદેથી રાજીનામાથી રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં 25મી નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા યોજાવાની હતી. જોકે, હવે આ પરીક્ષા નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં યોજવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી 10મીથી 15મી ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ, PSI અને PI ભરતી માટેની શારીરિક પરીક્ષા લેવામાં આવી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular