Tuesday, June 17, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદ, સુરતમાં ઇમર્જન્સી કેસોમાં વધારો લાલબત્તી સમાન

અમદાવાદ, સુરતમાં ઇમર્જન્સી કેસોમાં વધારો લાલબત્તી સમાન

અમદાવાદઃ બિનઆરોગ્યપ્રદ ભોજનની આદત, બેઠાડુ કે અનિયમિત જીવનશૈલી અને પ્રદૂષણના સ્તરમાં વધારા કારણે અમદાવાદ, સુરત અને દાહોદમાં ચાલુ વર્ષમાં ઇમર્જન્સી કેસોમાં વધારો નોંધાયો છે. સુરત, અમદાવાદ અને દાહોદમાં રેકોર્ડ ઇમર્જન્સી કેસીસમાં 15 ટકા, 13 ટકા અને 12.24 ટકાનો વધારો નોંધાયો છે, એમ ગુજરાત EMRI-108 ડેટા કહે છે.

રાજ્યમાં ઓવરઓલ ઇમર્જન્સી કેસમાં વાર્ષિક ધોરણે વધારો નોંધાયો છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ શ્વાસની લગતી સમસ્યાઓ. કાર્ડિયાક ઇસ્યુ અને પેટમાં દુખાવો અને ઊંચા તાવના કેસમાં વધારો નોંધાયો છે.

અમદાવાદમાં કાર્ડિયાક ઇસ્યુમાં 28 ટકા વધારો નોંધાયો હતો, જેમાં વર્ષ 2022માં 11,200ની તેસોની તુલનાએ વર્ષ 2023માં અત્યાર સુધી 14,300 કેસો નોંધાયા છે. જ્યારે આ વર્ષે શ્વાસને લગતી સમસ્યાઓમાં 18.38 ટકાનો વધારો થયો છે, જેમાં વર્ષ 2022માં 13,800ની તુલનાએ વર્ષ 2023માં અત્યાર સુધીમાં 15,400 કેસો નોંધાયા છે.

આ સાથે નોન- વેહિક્યુલર ટ્રોમા કેસમાં 14.28 ટકાનો વધારો થયો છે, જેમાં વર્ષ 2022ના આશરે 18,800 કેસોની સરખામણીએ 15,400 કેસો આ વર્ષે નોંધાયા છે.

આ સાથે પેટની લતી સમસ્યાઓના કેસો વર્ષ 2022માં અમદાવાદમાં (26,778), સુરતમાં (10,757) અને દાહોદમાં (3467)ની તુલનાએ વર્ષ 2023માં અમદાવાદમાં (31,055), (13,046) અને દાહોદમાં (3951) કેસો નોંધાયા છે. એ જ રીતે ઊંચા તાવના કેસો જોઈએ તો વર્ષ 2022માં અમદાવાદમાં (8525), સુરતમાં (4634) અને દાહોદમાં (1265)ની તુલનાએ વર્ષ 2023માં અમદાવાદમાં (9889), (6476), સુરતમાં (6476) અને દાહોદમાં (1484) કેસો નોંધાયા છે.

બોડકદેવ વિસ્તારમાં સિનિયર ફિઝિશયન ડો. માલવ ઠક્કરે કહ્યું હતું કે ઇમર્જન્સીમાં વધારો નબળી ઇમ્યુનિટી, કસરતનો અભાવ અને બેઠાડુ ડીવનશૈલી અને પાચનશક્તિ મંદ ને પ્રદૂષણના સ્તરમાં વધારો થવાને કારણે થયો છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular